શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર ખાતે યોજાયેલ બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ: વડાપ્રધાનના એક દિવસ, એક કલાક શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરવા કટિબદ્ધ થઈએ : શ્રદ્ધા-સેવા-સમર્પણને વરેલા પાટીદાર સમાજના નારી શક્તિને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો સરાહનીય છે: સવાસો કાર રેલીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન:પાટીદાર સમાજની વિશાળ ઉપસ્થિતિ
ઉમિયા માતાજી મંદિર, સીદસર ખાતે યોજાયેલ બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ પાટીદાર સમાજના સભ્યોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ ઉમિયા ધામની સમગ્ર કાર્ય પ્રણાલિની સરાહના કરી હતી અને કહ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ઉમિયાધામ સંસ્થા અભિનંદનને પાત્ર છે. ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન આરંભાયેલા અને વર્ષભર ચાલુ રહેનારા સંસ્થાના સામાજિક વિકાસના કાર્યો ખૂબ સફળ થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિમર્ણિ થકી જી.20 સમિટ નું સફળ આયોજન કરીને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીના એક દિવસ, એક કલાક શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરવા દેશના તમામ નાગરિકોએ કટિબદ્ધ થવું જોઈએ. અને રાષ્ટ્રપિતાના સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના મંત્રને ચરિતાર્થ કરવો જોઈએ.
માં ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે વર્ષભર યોજાનારા 125 આરોગ્ય કેમ્પ, 125 બ્લડ ડોનેશન કેમ્પ, 125 પ્રાકૃતિક કૃષિ પરિસંવાદો, 125 નારી શક્તિના કાર્યક્રમો, 125 વૃક્ષારોપણના કાર્યક્રમો પાટીદાર સમાજની આગવી ઓળખ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધા-સેવા-સમર્પણને વરેલા પાટીદાર સમાજના નારી શક્તિને પ્રોત્સાહિત કાર્ય કરતા કાર્યક્રમો સરાહનીય છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ઉમિયાધામ સંસ્થાના વિકાસ માટે રાજ્ય સરકારની શક્ય તમામ મદદની ખાતરી ઉચ્ચારતા મુખ્યમંત્રી શ્રીએ માં ઉમિયાના સવાસો કાર રેલી અને સામાજિક સંમેલનમાં સહભાગી થવાની તક આપવા બદલ આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા નારી શક્તિ વંદન અધિનિયમ સમગ્ર સમાજમાં મહિલાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવવામાં સીમાચિન્હ રૂપ સાબિત થશે, તેવો વિશ્વાસ રજૂ કર્યો હતો.
સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ બિલ્વપત્ર સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકોને સમાજિક જીવન જીવવા અને બદલાતા જતા યુગની સાથે દરેક સમાજને પોતાની પરંપરાઓ જાળવી રાખી આધુનિક યુગના રીત રિવાજો અપનાવી એકતા જાળવી રાખવાનો સામાજિક સંદેશો આપ્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ સ્ત્રીઓને સમાજમાં પોતાનું યોગદાન આપવા અને દીકરીઓને અભ્યાસ કરવા અંગે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. મોટા પ્રમાણમાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે, તે બદલ કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકાર તેમજ ખેડૂતોની પ્રશંસા કરી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોથી આ અભિગમ ન માત્ર ગુજરાતના, પરંતુ દેશભરના ખેડૂતો અપનાવી રહ્યા છે. અને વિશ્વભરમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે. ખેડૂતો ખેતીમાં ક્રાંતિ સજીર્ શકે તે માટે ભારત સરકારે નેનો યુરિયા ટેકનોલોજી વિકસાવી છે. જે માત્ર ગુજરાતમાં જ છે. તે બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા.
સિદસર ઉમિયાધામ ખાતે માં ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે આયોજિત બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દિવસે પાટીદાર સમાજ દ્વારા 51 કારની એક એવી 125 કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતની વિવિધ જગ્યાઓ પરથી કુલ 6375 લોકોએ ઉમિયાધામ ખાતે એકઠા થઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો, જે અંગેનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મુખ્યમંત્રીને આ પ્રસંગે અપાયું હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથાકેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનુ શાલ અને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ કોટડીયાએ સ્વાગત પ્રવચન કયર્િ બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અગ્રણી જેરામભાઈ વાસજાળીયા, જે. કે. પટેલ, મૌલેશ ઉકાણી, ચીમનભાઈ સાપરિયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કયર્િ હતા. ઉમિયાધામ સંસ્થાને રૂ. 5.51 કરોડનું દાન કરનાર દાતા જીવણભાઈ ગોવાણીનું મુખ્યમંત્રીએ વિશેષ બહુમાન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનસમુદાયે છૂટાછેડા તથા અન્ન-જળનો બગાડ અટકાવવા, વ્યસન તથા સામાજિક બદિઓનો ત્યાગ કરવા તથા પ્રાકૃતિક કૃષિ અપનાવવાના શપથ ગ્રહણ કયર્િ હતા. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ખેસ પહેરાવી દાતાઓનુ બહુમાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર બી.એ. શાહ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ધારાસભ્યો સર્વ સંજયભાઈ કોરડીયા, પ્રકાશભાઈ વરમોરા, અરવિંદભાઈ લાડાણી, કાંતિભાઈ અમૃતિયા, દાતાઓ, ટ્રસ્ટીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech