રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના ૪૫ હજાર સૈનિકોના મોત થયાં

  • February 06, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ દરમિયાન તેના લગભગ ૪૫ હજારથી વધારે સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ચાર લાખ જવાનો ઇજા પામ્યા છે. યારે કીવ આવેલા બ્રિટિશ વિદેશી સચિવે યુક્રેન માટે ૫.૫ કરોડ પાઉન્ડનું સહાય પેકેજ જાહેર કર્યુ હતુ.
આ પેકેજમાં યુક્રેનથી યુદ્ધગ્રસ્ત સીરિયામાં વલ્ર્ડ ફડ પ્રોગ્રામ હેઠળ અનાજ ૩૦ લાખ પાઉન્ડનું અનાજ મોકલવાનો સમાવેશ થાય છે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીરિયા પર પ્રમુખ બશર અલ અસદનું સાસન હતુ ત્યારે તેને રશિયા પાસેથી ઘઉં મળતા હતા. હવે તેના બદલે તેને યુક્રેન પાસેથી ઘઉં મળશે. રશિયા આ ઘઉં યુક્રેનની જમીન પરથી જ તેને પૂરા પાડતુ હતુ. રશિયાના લશ્કરે ઘૂસણખોરી કરીને યુક્રેનનો પ્રદેશ કબ્જે કર્યેા છે.
લેમીએ આ ઉપરાંત યુક્રેનના ઉર્જા પ્રણાલિને રિપેર કરવા માટે ૧.૭ કરોડ પાઉન્ડ પૂજા કરવા વાત કરી છે, જેના પર રશિયા સતત પ્રહારો કરી રહ્યુ છે. ગયા મહિને વડાપ્રધાન કીર સ્ટારમેનેરે મુલાકાત લીધાના મહિના પછી લેમીએ આ મુલાકાત કરી છે. આ મુલાકાતમાં બંને દેશોએ ૧૦૦ વર્ષની ભાગીદારી પર સહીસિક્કા કર્યા છે.
યુકેએ યુક્રેનને આપેલી સહાય યુરોપ દ્રારા યુક્રેન પ્રત્યે દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે પરત ફરતાં યુક્રેનને મળતી અમેરિકન સહાય ચાલુ રહેવા અંગે શંકા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application