ભાવનગર બે યુવાનો ૧૫૦૦ કિલોમીટર અયોધ્યા સુધી સાયકલ લઇને જવા નીકળ્યા હતા. નેશનલ સાયકલીસ્ટ નિમેષ મનસુખભાઈ જીવરાજાની અને જયમીત ત્રિવેદી નામના બન્ને યુવાનો જેનો સાયકલિંગ કરવો શોખ છે. અને આ શોખને ધર્મ સાથે જોડી અને સાયકલ લઇને ભાવનગરથી અયોધ્યા ઉત્સવમાં હાજરી આપવા શહેરના નીલમબાગ સર્કલથી પ્રસ્થાન કર્યું હતું. સનાતન હિન્દૂ ધર્મનો સૌથી મોટો ઉત્સવની આગામી તા.૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઉજવણી કરવામાં આવશે. જે ઉત્સવ અંતર્ગત અયોધ્યા ધામ ખાતે સાયકલીંગ કરી ત્યાં પહોંચી શ્રી રામજી ભગવાનના દર્શન કરશે. આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરતભાઈ બારડ, ભાજપ શહેર સંગઠનના પ્રમુખ અભયસિંહ ચૌહાણ સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહી યુવાનોને પુષ્પહાર પહેરાવી અને પ્રોત્સાહિત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech