ગુલાબનગરના યુવાને ગળાફાંસો ખાઇ જીવતર ટુકાવ્યું : નરમાળામાં છુટાછેડા બરાદ લાગી આવતા ફાંસો ખાધો
જામનગરના ગુલાબનગર અને જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં બે યુવકોના છૂટાછેડા થઈ જવાથી મનમાં લાગી આવતા બંને યુવાનોએ ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જેના કારણે પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
જામનગરમાં ગુલાબ નગર નજીક શાક માર્કેટ વાળા ઢાળિયા પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ચેતન રમેશભાઈ કણજારીયા નામના 32 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ધર્મેશ રમેશભાઈ કણજારીયાએ પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનના આજથી દોઢ મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા હતા,જેના કારણે તેને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
બીજો બનાવ જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં બન્યો હતો. જયાં રહેતા સંજય રાજેશભાઈ વાલવા નામના 31 વર્ષના યુવાને પોતાના ઘેર દોરી વડે પતરાના પાઇપ માં ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરેશ રાજેશભાઈ વાલવાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળાના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવ સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના એક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા, જેથી પોતે ગુમસુમ રહેતો હતો, અને એકલવાયા જીવનથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech