ચેક પરત ફરવા ના કેસ માં જામનગર ની બ્રાસપાટની પેઢીના સંચાલક ને બે વર્ષ ની સાદી કેદ ની સજા

  • January 05, 2024 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નાં બ્રાસપાટ ના કારખાનેદાર દ્વારા આપવામાં આવેલો ચેક પરત ફરતાં અદાલત મા ફરિયાદ નોંધાવાઈ હતી, જે કેસ માં અદાલતે આરોપી ને  બે વર્ષ ની સાદી કેદની સજા અને ચેક ની રકમ કરતાં બમણી રકમ ના દંડ નો આદેશ કર્યો છે.
જામનગર ની રેશમી એન્ટરપ્રાઇઝ નામ ની બ્રાસ સ્ક્રેપ ની  પેઢી માંથી શહેરના ગજરા પ્રોડક્ટ્સ નામ થી કારખાનું ધરાવતા શામજીભાઈ દયાળજીભાઈ ગજરા એ બ્રાસ સ્ક્રેપ નાં  માલસામાન ની ખરીદી કરી હતી. અને તેની રકમ ની ચુકવણી માટે  રૂ.૨,૧૬,૧૬૦ ની રકમ નો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતાં રેશ્મી એન્ટરપ્રાઇઝ ના અરવિંદભાઈ પરમાર એ ચેક પરત ફરવા અંગે દયાળજીભાઈ ગજરા સામે અદાલત મા ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ ચાલી જતા એડી.ચીફ.જયુડિ. મેજિસ્ટ્રેટ આર બી ગોસાઈ એ આરોપી દયાળજીભાઇ ગજરા  ને બે વર્ષ ની સાદી કેદ ની સજા તથા ચેક ની રકમ નાં બમણી  રકમ એટલે કે રૂ.૪,૩૨,૩૨૦  નો દંડ.નો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application