ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે. અત્યારસુધી કેસ જ નોંધાતા હતા પરંતુ હવે કોરોના દર્દીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. કોરોના ઘાતક બન્યો છે અને બે મહિલાને ભરખી જતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. અમદાવાદમાં 47 વર્ષની મહિલા અને 18 વર્ષની સગર્ભાનું કોરોનાને કારણે મોત થયાનું સામે આવ્યું છે.
કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી
મળતી માહિતી મુજબ, ફરી એકવાર તંત્રની કોરોનાને લઈને પોલંપોલ સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ બેદરકારી અને આંકડાકીય વિગતો છુપાવતો હોવાનું જાણવા મળ્યું છે. દાણીલીમડાનાં 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28મી મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે.
આ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના કુલ કેટલા કેસ છે અને મૃત્યુ થયા છે એની માહિતી હું આપને મેળવીને કહું છું.
આરોગ્ય વિભાગ કોરોનાની રી-એન્ટ્રી થઈ છતાં...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના પ્રથમ નાગરિકને તેમજ સત્તાધીશોને પણ કોરોના અંગેની માહિતી આપવામાં આવી રહી નથી, જેથી સ્પષ્ટ છે કે આરોગ્ય વિભાગ કોરોનાની રી-એન્ટ્રી થઈ હોવા છતાં પણ હજી આ બાબતને ગંભીરતાથી લેતો નથી.
18 વર્ષની ગર્ભવકતી યુવતીને શ્વાસની તકલીફ થઈ હતી
શહેરના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
47 વર્ષની મૃતક મહિલા 23 મેથી દાખલ હતી
દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે. મૃતક મહિલા 23 મેએ સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech