ઘેરા શોકની લાગણી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં હૃદય રોગના હુમલાના વધતા જતા બનાવોના કારણે લોકોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ખંભાળિયા શહેરમાં રહેતા બે સેવાભાવી અગ્રણીઓના ગઈકાલે હૃદયરોગના જીવલેણ હુમલાના કારણે મૃત્યુ થયાના બનાવ સામે આવ્યા છે.
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા, લાયન્સ ક્લબના સક્રિય કાર્યકર તેમજ શારશ્વત બ્રહ્મ સમાજના અગ્રણી, રેલવે સલાહકાર સમિતિમાં વર્ષો સુધી સેવા આપેલ આપી ચૂકેલા તેમજ પોલીસ સલાહકાર સમિતિના સદસ્ય મહેન્દ્રભાઈ જોશી (ઉ.વ. ૮૧) ગઈકાલે રાત્રે બસમાં વડોદરા ખાતે તેમની પુત્રી પાસે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.
આ ઉપરાંત અહીંના જાણીતા શ્રી ખામનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી તેમજ વણિક અગ્રણી હેમેન્દ્રભાઈ (હેમતભાઈ) વાલજીભાઈ ધ્રુવ (ઉ.વ. ૬૯) ને પગમાં થાપાના હાડકાનું ઓપરેશન કરવા માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું બ્લડપ્રેશર લો થઈ જતા તેમને પેરેલીસિસનો એટેક તથા હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. જેથી જામનગર ખાતે તેમનું અવસાન થયું હતું.
જિલ્લાના પીઢ સેવાભાવી કાર્યકરોના અકાળે થયેલા અવસાનથી સમગ્ર બ્રહ્મ સમાજ અને વણિક સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિલ્કી સોફ્ટ હેર માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ કંડિશનર
July 07, 2024 11:58 PMચહેરા પર આ રીતે કેળાની છાલનો કરો ઉપયોગ, નિસ્તેજ ત્વચામાં આવશે નિખાર
July 07, 2024 11:58 PMઝડપથી ઘટી રહ્યું છે પૃથ્વીનું પાણી, માત્ર આટલા સમયમાં 450 ઘન કિલોમીટર ભૂગર્ભજળ ઘટ્યું !
July 07, 2024 11:57 PMજાણો કોણ છે મુંબઈમાં BMW વડે મહિલાને ઉડાવી દેનાર મિહિર શાહ ?
July 07, 2024 11:54 PMએશિયા કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન
July 07, 2024 11:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech