ભાવનગર જિલ્લાનું મહુવા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો હતો. મહુવા પોલીસે ગત રાત્રીના નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન નેસવડ ગામના બે શખ્સોને મહુવાની નેસવડ ચોકડી પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી પુછપરછ કરતા મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો મેળવી ટ્રકમાં લઈ આવ્યાની અને તેના ઘરે ટ્રક પાર્ક કરી દારૂ ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી. જેના પગલે પોલીસે શખ્સના ઘર પાસે છુપાવી રખાયેલો દારૂ બિયરનો જથ્થો કબજે લીધો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા ટાઉન પોલીસ મથકનો સ્ટાફ ગત રાત્રીના નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ મળેલી બાતમી આધારે મહુવાની નેસવડ ચોકડી તપાસ હાથ ધરતા કંતાનની થેલી સાથે શંકાસ્પદ રીતે ઉભેલા ટ્રક ચાલક મનોજગિરી ભુપતગીરી ગૌસ્વામી (રહે.વિધ્યાનગર સોસાયટી, નેસવડ) અને ક્લીનર પ્રભાત ભોળાભાઈ ચૌહાણ (રહે. અશોકનગર, નેસવડ)ની અટક કરી તલાશી લેતા શખ્સોના કબજામાંથી વિદેશી દારૂની બે લીટરની નવ બોટલ મળી આવતા બરામત કરી મનોજની પુછપરછ કરતા તે વહેલી સવારે ટ્રક લઈ મહારાષ્ટ્રથી ટ્રક લઈને આવેલ ત્યારે મહારાષ્ટ્રથી દારૂ લઈ આવી બોટલો બાવળની કાંટમાં છુપાવી દીધી હતી. જ્યારે વધુ મુદ્દામાલ તેના ઘર બહાર કબાટમાં છુપાવી રાખ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી શખ્સના કબજા ભોગવટામાંથી વધુ બે લીટરની ચાર બોટલ, ૭૫૦ એમએલની ૧૨ બોટલ, ૧૮૦ એમએલના પાઉચ નંગ- ૧૭, તેમજ બિયર ટીન ૪૮ ઝડપી લીધા હતા. મહુવા પોલીસની રેડ દમિયાન વિદેશી દારૂ, બિયર ટીન કુલ કિંમત રૂપિયા ૨૬,૫૪૦ એક મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૫૦૦૦ અને ટ્રક મળી કુલ રૂપિયા ૧૨,૫૨,૦૪૦ નો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech