સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
May 05, 2026 09:22 PM
રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર, કર્મચારીઓના મોંઘવારી ભગ્યા માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યના લાખો પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે મોંઘવારી ભગ્યાનો દર ૫૮ ટકાવી વધીને ૬૦ ટકા પર પહોંચી ગયો છે. આ વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ની અસરથી અમલી ગણવામાં આવશે. એટલે કે, કર્મચારીઓને તેમના મૂળ પગારના ૬૦ ટકા લેખે માસિક મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે. ૩માં પગારપંચનો લાભ મેળવતા તમામ સંવર્ગના કર્મચારીઓ અને પેન્શનરોને આ નિર્ણયનો સીધો લાભ મળશે. સરકારની જાહેરાત મુજબ, જાન્યુઆરી-૨૦૨૧ થી એપ્રિલ-૨૦૨૬ સુધીના તફાવતની રકમ કર્મચારીઓને જૂન માસના પગારની સાથે જ ચૂકવી દેવામાં આવશે. મે-૨૦૨૬ ના પગારવી જ આ વધારો નિયમિત ધોરણે લાગુ કરી દેવામાં આવ્યો છે. પંચાયત વિભાગના કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો અને સહાયક અનુદાન મેળવતી સંસ્વાઓના કર્મીઓને પણ આ સુધારેલા દરનો લાભ મળશે. નાણા વિભાગે આ અંગેનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરીને સ્પષ્ટતા કરી છે કે મોંઘવારીના આ યુગમાં કર્મચારીઓને આર્થિક ટેકો આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત પેન્શનરોને પણ આ હંગામી વધારાનો લાભ મળશે. સરકારના આ ઉમદા નિર્ણયને કર્મચારી સંગઠનો દ્વારા ઉમળકાભેર વધાવવામાં આવ્યો છે, કારણ કે જૂન મહિનામાં પગારની સાથે મોટી રકમનું એરિયર્સ આવવાથી મધ્યમ વર્ગીય પરિવારીને મોટી નાણાકીય રાહત મળશે.