ગીરસોમનાથમાં ગૌવંશ કતલ ની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

  • June 07, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભય ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, ગેરકાયદેસર ગૌવશં કતલનો ખોટો વિડીયો વાયરલ કરનાર એક ઈસમને એલ.સી.બી. ગીર સોમનાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડા છે.
પ્રા માહિતી અનુસાર, કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કડવાસણ મુળદ્રારકા રોડ પાસેની પડતર જગ્યામાં, યાં મૃત પશુઓના અવશેષો પડેલા હતા, ત્યાં બે ઈસમોએ ગૌવંશનું ગેરકાયદેસર કટીંગ થતું હોવાનો ખોટો વિડીયો બનાવ્યો હતો. બકરી ઈદના તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો ભગં કરવાના ઈરાદે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
આ બાબતની જાણ થતા જ, એલસીબીના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એલસીબીના એ.એસ.આઇ. શૈલેષભાઈ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીતભાઈ ચુડાસમાએ એલસીબી કોડીનાર અને કોડીનાર પોલીસની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જણાયું કે, રોડ કાંઠે ઝાડી–ઝાંખરીવાળી જગ્યામાં પશુના અવશેષો અને હાડકાં પડેલા હતા, જે પ્રાથમિક દ્રષ્ટ્રિએ મૃત પશુઓ નાખતા હોવાનું જણાયું હતું.આ ખોટી રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર આરોપી હરેશ ખીમજીભાઈ જાદવ (રહે. લીલવણ તા.મહત્પવા જી.ભાવનગર હાલ–દ્રોણ તા.ગીરગઢડા) અને જયેશ ગોસ્વામી (રહે.મોરડીયા તા.સુત્રાપાડા)ને પકડી પાડી આઇપીસી ૧૯૬(૧) અને  તેમજ ૩૫૩  અને  મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના દર્શાવે છે કે, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ કડક હાથે કામ લેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application