મોરબી પંથકમાં ૨૪ કલાકમાં હત્યાના બે બનાવ

  • May 15, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળીયાના ભાવપર ગામે બે મહિલા સહિત પાંચ શખ્સોએ ધોકા વડે હુમલો કરતાં એક યુવકનું મોત થયું છે. જયારે ઈજાગ્રસ્ત થયો છે. માળિયા તાલુકાના ભાવપર ગામે યુવકને તેના ભત્રીજાને બે શખ્સો સાથે ધંધા બાબતે બોલાચાલી થયેલ જેથી યુવકે ઝઘડો નહીં કરવાસમજાવેલ જે બાબતનું મનદુ:ખ રાખી પાંચ શખ્સોએ ઉશકેરાઇ જઇ બંને યુવકોને ધોકા વડે માર મારતાં માથાના ભાગે યુવકને ધોકોવાગી જતા યુવકનુ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે પાંચેઆરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ભાવપર ગામે રહેતા ધીરૂભાઇ નરશીભાઈ કાળુ (ઉ.વ.૪૦) એ આરોપી છગનભાઇ બચુભાઈકાળુ, કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઇ, ભરતભાઈના પત્ની ગીતાબેન, છગનભાઇના પત્ની રહે. બધા  ભાવપર તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રીના નવેકવાગ્યાના અરસામાં ફરીયાદીને તેના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને આરોપી નં.૧ તથા આરોપી નં.૩ સાથે સાતેક દીવસ પહેલા ધંધાબાબતે બોલાચાલી થયેલ જેથી ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવેલ જે બાબતેનુ મન દુ:ખ રાખી આરોપી છગનભાઇ તથા કેશાભાઈતથા ભરતભાઈ તથા ગીતાબેન તથા છગનભાઈના પત્નીએ ફરીયાદી તથા બટુકભાઈ નરશીભાઈ કારુને બોલી ગાળો આપીઆરોપી કેશાભાઈ, ભરતભાઈ, ગીતાબેન તથા છગનભાઈના પત્ની એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકીઆપી તેમજ આરોપી છગનભાઇએ ફરીયાદીને ધોકાવતી માથાના ભાગે બે ઘા મારતા પાંચ ટાંકા આવેલ અને બટુકભાઇ નરશીભાઇકારુ ઉ.વ.૪૫ વાળા વચ્ચે પડતા આરોપી છગનભાઇએ માથામાં ધોકો મારતા માથામાં ઇજા થતા પોહચતા બટુકભાઈનુ મોત નિપજ્યુંહતું. આ બનાવ અંગે ધીરૂભાઇએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારેઆરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨, ૩૨૪, ૩૨૩, ૧૧૪, ૫૦૪, ૫૦૬,(૨) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​વીસીપરા નજીક શ્રમિક યુવાનની બોથડ પદાર્થ ઝીંકી હત્યા
ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા અને મજૂરોનો કોન્ટ્રાકટ રાખતા અરવિંદભાઈ ટીહાભાઈ લામકા જાતે ભરવાડ (ઉ.વ.૪૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખસની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેરના જૂના લુણસરિયાથી વીસીપરા વચ્ચેના રોડ ઉપરથી તેના મજૂર કાર્તિકસિંગ ‚હયાસિંગ (રહે.અજોઘીયા વાયા નિલાગિરી, તા.ચિત્રકૂટ, જિલ્લો બોલેન્વર, રાજ્ય ઓડિસાવાળા)ની શરીરે બોથડ પદાર્થ વડે મૂંઢમાર મારીને હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં અરવિંદભાઈ લામકાએ અજાણ્યા શખસની સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application