ટોળાએ યુવકને રોકી કારમાં વાગતા ગરબા બંધ કરવા કર્યું દબાણ : 2 શખ્સ સહિત 30ના ટોળા સામે ફરીયાદ
ખંભાળીયાના આરએસએસના કાર્યકર કારમાં ગરબા વગાડતા નીકળતા વિધર્મીના ટોળાએ તેને રોકીને વાગતા ગરબા બંધ કરાવવા દબાણ કરી આ બાજુથી નીકળતો નહીં નહીતર મારી નાખશું તેવી ધમકી આપી હતી આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો, ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે.
ખંભાળીયામાં રહેતા આરએસએસના કાર્યકર કારમાં ગરબા વગાડતા નીકળતા ટોળાએ આંતરીને ગરબા બંધ કરાવવા દબાણ કરી અને આ બાજુથી નીકળવું નહીં તેમ કહી ધમકી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે જયાં બે શખ્સ સહિત 25 થી 30 વ્યકિતઓના ટોળા સામે ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.
દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં રહેતા ખુશાલભાઇ વિજયભાઇ ગોકાણી (ઉ.વ. 34) નામના સંઘ કાર્યકર તા. 15 રાત્રીના એકાદ વાગ્યાના સુમારે તેમના મિત્ર કરણભાઇ જોશીને કાર નં. જીજે10બીઇ-0777માં ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે મદીના મસ્જીદ ચોક પાસે પહોચતા જયાં મજલીસનો કાર્યક્રમ ચાલુ હોય ઘણા બધા માણસો ભેગા થયેલા હતા આ દરમ્યાન કાર રોકાવી અને તમારી કારમાં ગરબા વગાડતા અહી કેમ નીકળો છો તેમ કહીને અપશબ્દો બોલી ઉશ્કેરાઇ ગયા હતા.
આથી ફરીયાદી ત્યાંથી કાર લઇને જતા રહેલ અને કાર મુકી મોટરસાકયલ લઇને પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા જતા હતા ત્યારે લાલો શેખ અને સ્તમ આ બંનેએ તેનો કોલર પકડીને કહેવા લાગેલ કે પાછો આ બાજુથી નીકળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી દરમ્યાન ખુશાલભાઇએ લાલો અને સ્તમ તથા અજાણ્યા 25 થી 30ના ટોળા સામે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.
આ મામલાની ગંભીરતા જોઇને ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતના સ્ટાફ દ્વારા સ્થળ પર પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું અને ખંભાળીયા પોલીસ દ્વારા રાયોટીંગ સહિતના ગુનાની કલમો મુજબ ફરીયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech