કોલંબિયાની રાજધાની બોગોટામાં ૧૫ મિનિટમાં બે ધરતીકંપ, એકનું મોત

  • August 18, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલંબિયાની રાજધાની બોગોટામાં માત્ર ૧૫ જ મિનીટ ના અરસામાં બે ધરતીકપં અનુભવાયા હતા જેની તીવ્રતા ૬.૩ અને ૫.૭ રહી હતી. કમ્પન ના પગલે લોકો ઘર અને ઓફીસ છોડી બહાર ભાગ્યા હતા.ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના ડરથી થયેલી નાસભાગ દરમિયાન પડી જવાથી એક મહિલાનું મોત થયું હતું. લગભગ ૧૫ મિનિટ બાદ અહીં ૫.૭ની તીવ્રતાનો આટરશોક પણ અનુભવાયો હતો.ભૂકંપના કારણે કોલંબિયાની સંસદની છતનો પથ્થરનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે, રાહતની વાત એ હતી કે તે સમયે સંસદમાં કોઈ હાજર નહોતું. કોલંબિયાના કાલી અને મેડેલિન શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application