તળાજા પંથકમા લોકોના જાન બાદ હવે માલની સલામતી પણ નથી!. વાડીએ બાંધેલ પશુઓ પણ હવે સલામત નથીતેવી એકજ મહિનામાં બીજી ઘટના દિહોર ગામે બનવા પામી હતી. તળાજા પંથકમાં તસ્કર ટોળકીએ હવે રાતોરાત માલામાલ બનવા માટે ભેંશની ચોરીઓ કરવાનું શરૂ કર્યું છે. સાંખડાસર બાદ દિહોર ગામના ખેડૂત-
પશુપાલક ગંગારામ રવજીભાઈ ધાંધલ્યાએ નોધાવેલ ફરિયાદ મુજબ ગત. તા.૧૨ નીરાત્રી દરમિયાન વાડીએ બાંધેલ બે ભેંસ કી. રૂ. ૪૦૦૦૦ની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. જેની ઋઈંછ થઈ છે. તેઓએ વેદના ઠાલવી હતીકે ત્રીસ વર્ષથી ખેતીસાથે પશુપાલનનો વ્યવસાય કરું છું પણ આવું કદી જોયું નથી. તળાજા પો.ઈ તરીકે પી. એલ.ધામા ચાર્જ સંભાળે તે પહેલા જ તેમની સામે લગભગ પ્રથમ વખત ભેંસ ચોરોને પકડવા નો પડકાર છે. સાંખડાસર ગામે ભેંશ ચોરીની પોલીસે ફરિયાદ ન નોંધતા પૂર્વ ધારાસભ્ય અને ગામના અનેક લોકોને પોલીસ મથકે આવવું પડયું હતું. જેને એકાદ મહીનો થયો તેમ છતાંય હજુસુધી પોલીસ ભેંસ ચોરો ને પકડી શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech