સાંખડાસર બાદ દિહોરમાંથી બે ભેંસ ચોરાઈ: ખેડૂત પશુપાલકોમા ફ્ફડાટ

  • September 18, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા પંથકમા લોકોના જાન બાદ હવે માલની સલામતી પણ નથી!. વાડીએ બાંધેલ પશુઓ પણ હવે સલામત નથીતેવી એકજ મહિનામાં બીજી ઘટના દિહોર ગામે બનવા પામી હતી. તળાજા પંથકમાં તસ્કર ટોળકીએ હવે રાતોરાત માલામાલ બનવા માટે ભેંશની ચોરીઓ કરવાનું શરૂ કર્યું છે. સાંખડાસર બાદ દિહોર ગામના ખેડૂત-
પશુપાલક ગંગારામ રવજીભાઈ ધાંધલ્યાએ નોધાવેલ ફરિયાદ મુજબ ગત. તા.૧૨ નીરાત્રી દરમિયાન વાડીએ બાંધેલ બે ભેંસ કી. રૂ. ૪૦૦૦૦ની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. જેની ઋઈંછ થઈ છે. તેઓએ વેદના ઠાલવી હતીકે ત્રીસ વર્ષથી ખેતીસાથે પશુપાલનનો વ્યવસાય કરું છું પણ આવું કદી જોયું નથી. તળાજા પો.ઈ તરીકે પી. એલ.ધામા ચાર્જ સંભાળે તે પહેલા જ તેમની સામે લગભગ પ્રથમ વખત ભેંસ ચોરોને પકડવા નો પડકાર છે. સાંખડાસર ગામે ભેંશ ચોરીની પોલીસે ફરિયાદ ન નોંધતા પૂર્વ ધારાસભ્ય અને ગામના અનેક લોકોને પોલીસ મથકે આવવું પડયું હતું. જેને એકાદ મહીનો થયો તેમ છતાંય હજુસુધી પોલીસ ભેંસ ચોરો ને પકડી શકી નથી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application