ભાટિયા, ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે પ્રૌઢના મોત

  • May 16, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા માલદેભાઈ નાગાજણભાઈ ઓડેદરા નામના મેર પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવી જતા ભાટિયાથી વધુ સારવાર અર્થે કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

અન્ય એક બનાવમાં ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા પેથાભાઈ પબાભાઈ શીરૂકા નામના 56 વર્ષના પ્રૌઢને ગત તા. 13 ના રોજ રાત્રિના સમયે હૃદયરોગનો હુમલો આવી જતા તેમને મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application