કલ્યાણપુરના પ્રોહીબીશનના ગુનામાં ફરારી બે શખ્સ ગીરફતાર

  • July 09, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેયએ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરતા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલના માર્ગદશન મુજબ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એ.એલ. બારસીયા તથા પીએસઆઇ એસ.એસ. ચૌહાણ, પીએસઆઇ એસ.વી. કાંબરીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરી વર્કઆઉટમાં હતા.


દરમ્યાન એએસઆઇ અરજણભાઇ આહીર, જયદેવસિંહ જાડેજા, પરેશભાઇ  સાંજલા, નીલેશભાઇ કારેણા, પો.કોન્સ મનહરસિંહ જાડેજાને સંયુકત બાતમી હકીકત આધારે ઇંગ્લીશ દાની હેર ફેરના કેસમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશના પ્રોહીબીશનના ગુનામા ફરારી આરોપી જગા દાના શામળા રહે. રાણપર ગામ, તા. ભાણવડ, જી. દ્વારકા તથા બાવન કાના કટારા રહે. બાવળવાવ ગામ, સીહઝર નેશ તા. જી. પોરબંદર વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે કલ્યાણપુર પોલીસને સોપી આપવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application