કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે તેમણે પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિન્દુઓને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ પછી સંસદના અધ્યક્ષના આદેશ પર, તેમના ભાષણના ઘણા અંશો સંસદના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જેના પર ફરી એકવાર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી છે.
લોકસભા અધ્યક્ષે તેમના ભાષણના મહત્વના ભાગો હટાવ્યા બાદ રાહુલ ગાંધીએ મંગળવારે પ્રતિક્રિયા આપી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણના ડિલીટ કરેલા ભાગો પર કહ્યું કે મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે પરંતુ વાસ્તવિકતામાં સત્યને ભૂંસી શકાતું નથી. મેં જે પણ કહ્યું અને મારે જે કહેવું હતું તે મેં કહ્યું અને એ સત્ય છે. હવે તેઓ જે ભૂંસી નાખવા માગે છે તે ભૂંસી શકે છે.
ગાંધીએ સંસદ સંકુલમાં પત્રકારોને કહ્યું કે મારે જે કહેવું હતું તે કહ્યું છે અને તે સાચું છે. તેઓ ઇચ્છે તેટલું ભૂંસી શકે છે, પરંતુ તે સત્ય જ રહેશે. કોંગ્રેસ નેતા સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ હિન્દુ સમુદાયને ગણાવ્યો હિંસક
વિપક્ષના નેતા તરીકે પોતાના પહેલા સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ સત્તાધારી પાર્ટીના નેતાઓ પર લોકોને સાંપ્રદાયિક ધોરણે વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ શાસક પક્ષે મોટા પાયે વિરોધ કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક ગણાવતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. આ ઉપરાંત ગૃહમંત્રીએ રાહુલ ગાંધીને ભાજપને 'હિંસક હિન્દુઓ' સાથે સરખાવવા સામે પણ સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસના નેતાને માફી માંગવા કહ્યું હતું.
ભાષણના આ ભાગોને લઈને થયો હોબાળો
તેમના ભાષણની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદે બંધારણની નકલ અને ભગવાન શિવની તસવીર બતાવી અને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીના હિન્દુઓના ઉલ્લેખ સામે ભાજપના સાંસદોએ જોરદાર વિરોધ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દરમિયાનગીરી કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે ભાજપને હિંસા સાથે જોડવા બદલ કોંગ્રેસ સાંસદની માફી માંગવાની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech