અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો બ્રિક્સ દેશો યુએસ ડૉલરને બદલે બ્રિક્સ ચલણ અથવા અન્ય કોઈ ચલણને સમર્થન આપશે તો તેનું પરિણામ તેમને ભોગવવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે અમે બ્રિક્સ દેશો પાસેથી પ્રતિબદ્ધતા ઈચ્છીએ છીએ કે તેઓ ન તો નવી બ્રિક્સ ચલણ બનાવશે અને ન તો યુએસ ડૉલરની જગ્યાએ કોઈ અન્ય ચલણને સમર્થન આપશે. જો આવું થાય, તો તેમને માત્ર 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, અમેરીકન માર્કેટમાં અમારા માલના વેચાણને પણ અલવિદા કહેવું પડશે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
'અન્ય કોઈ ચલણ યુએસ ડોલરનું સ્થાન લઈ શકે નહીં'
ટ્રમ્પે વધુમાં કહ્યું કે એવી કોઈ શક્યતા નથી કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિક્સ ચલણ યુએસ ડોલરનું સ્થાન લેશે અને જે પણ દેશ આવું કરવાનો પ્રયાસ કરે છે તેણે અમેરિકાને અલવિદા કહી દેવું જોઈએ.
ટ્રમ્પના આ નિવેદનની વિશ્વ અર્થવ્યવસ્થા અને અમેરિકાની મુદ્રા નીતિ પર મોટી અસર પડી શકે છે. બ્રિક્સ દેશોએ તેમના આર્થિક સંબંધોને મજબૂત કરવાની અને આંતરરાષ્ટ્રીય કારોબારમાં ડોલરને બદલે અન્ય વિકલ્પો પર વિચાર કરવાની સંભાવના વ્યક્ત કરી હતી.
ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ જાહેર કરવામાં આવ્યા
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની ઐતિહાસિક જીત બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક નવી જાહેરાતો કરી રહ્યા છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકોથી આવતા સામાન પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સત્તા સંભાળ્યા બાદ તેઓ ચીનથી આવતા સામાન પર 10 ટકા અને કેનેડા-મેક્સિકોથી આવતા સામાન પર 25 ટકા ટેરિફ લાદશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech