અમેરિકામાં રહેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટસને સતત ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશનિકાલ દરમિયાન લોકોને હાથકડી પહેરાવવામાં આવે છે અને પગમાં બેડી બાંધવામાં આવે છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિપક્ષના સાંસદોએ આ ઘટના પર ચિંતા વ્યકત કરી અને સરકારને પ્રશ્નો પણ પૂછયા.
આ દરમિયાન, વ્હાઇટ હાઉસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને હાથકડી પહેરાવેલાનો એક નવો વીડિયો પોસ્ટ કર્યેા છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ ૪૧ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટસને દેશનિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારી એક સ્થળાંતર કરનારને દેશનિકાલ માટે તૈયાર કરતો જોઈ શકાય છે.
અધિકારી સ્થળાંતર કરનાર માણસને હાથકડી પહેરાવી રહ્યા છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો રાખવામાં આવી છે. વીડિયોમાં કોઈ વ્યકિતનો ચહેરો દેખાતો નથી, પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોના હાથ–પગ સાંકળોથી બાંધેલા હતા. એક કિલપમાં, એક માણસ વિમાનમાં ચઢતો જોઈ શકાય છે. તેના પગમાં બેડીઓ બાંધેલી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, યુએસ લશ્કરી વિમાન દ્રારા ૧૧૨ ભારતીય ઇમિગ્રન્ટસને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ શાસન હેઠળ દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટસનો આ ત્રીજો સમૂહ છે. અગાઉ, બીજી બેચમાં ૧૧૬ લોકો અને પહેલી બેચમાં ૧૦૪ લોકોને અમેરિકાથી ભારત મોકલવામાં આવ્યા હતા.
એનબીસીના અહેવાલ મુજબ, યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ વ્યકિતઓને અટકાયતમાં લેતી વખતે અને દેશનિકાલ કરતી વખતે એક સંરચિત પ્રક્રિયાનું પાલન કરે છે. આઈસીએના નિયમો અનુસાર, ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના હાથ–પગ વિમાનમાં સાંકળોથી બાંધવાના નિયમો છે. જોકે, એકવાર વિમાન તેના સ્થાને પહોંચી જાય, પછી તરત જ હાથકડી અને બેડીઓ દૂર કરવી આવશ્યક છે.
દેશનિકાલ દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને કોઈપણ સામાન લઈ જવાની મંજૂરી નથી. વિમાનમાં ચઢા પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને હાથકડી પહેરાવવામાં આવે છે અને પગમાં બેડીઓ બાંધવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech