રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ટ્રકે કારને ટક્કર મારતાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના છ સભ્યોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.પોલીસે જણાવ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાસ નદી પરના પુલ પાસે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે પરિવાર સવાઈ માધોપુરના ગણેશ મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યો હતો. મુખ્યમંત્રી ભજનલાલ શમર્,િ નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને હનુમાન બેનીવાલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.અધિક પોલીસ અધિક્ષક દિનેશ કુમારે જણાવ્યું હતું કે, અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે બાળકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેણે જણાવ્યું કે સીકર જિલ્લાના ખંડેલામાં રહેતો પરિવાર સવાઈ માધોપુરના ગણેશ મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યો હતો.ટ્રક ડ્રાઈવરે હાઈવે પર યુ-ટર્ન લીધો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજ દ્વારા ટ્રક ડ્રાઈવરની ઓળખ કરવામાં આવી છે અને આરોપીઓને શોધવા માટે ટીમો મોકલવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં મનીષ શમર્િ અને તેની પત્ની અનિતા, કૈલાશ શર્મા અને તેની પત્ની સંતોષ અને સતીશ શમર્િ અને તેની પત્ની પૂનમનો સમાવેશ થાય છે.તેમણે કહ્યું કે મનન અને દીપાલી નામના બે બાળકો ઘાયલ થયા હતા અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી ડોક્ટરોએ તેમને જયપુર રેફર કર્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને પરિવારના સભ્યો આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.મુખ્યમંત્રી ભજનલાલ શમર્િ અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શમર્એિ લખ્યું છે કે શક્ય મદદ પૂરી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.તેમણે કહ્યું, હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech