શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની મુખ્ય પ્રતિસ્પર્ધી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) સ્પષ્ટ્રપણે નાખુશ છે કે, બરતરફ કરાયેલા પ્રધાનમંત્રીની ભારત દ્રારા મેજબાની કરવામાં આવી રહી છે. એ પણ ત્યારે યારે ઢાકાથી ભાગી ગયા બાદ સોમવારે ભારત પહોંચ્યા હતા. બીએનપીના વરિ કાર્યકર્તા ગાયેશ્વર રોય, જેઓ ૧૯૯૧માં બીએનપીની આગેવાનીવાળી સરકારમાં મંત્રી હતા અને પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે, જે તેના સર્વેાચ્ચ નિર્ણય લેનારા મચં છે, તેમણે ઢાકાથી ટીઓઆઈએ કહ્યું, બીએનપી માને છે કે બાંગ્લાદેશ અને ભારતે સહયોગ કરવો જોઈએ. પરસ્પર ભારત સરકારે આ ભાવનાને સમજવી પડશે અને તે રીતે વર્તવું પડશે.
પરંતુ જો તમે અમારા દુશ્મનને મદદ કરો છો તો તે પરસ્પર સહયોગનું સન્માન કરવું મુશ્કેલ બની જાય છે. અમારા ભૂતપૂર્વ વિદેશ મંત્રી (હસીના સરકારમાં) છેલ્લી ચૂંટણી પહેલા અહીં કહ્યું હતું કે ભારત શેખ હસીનાને સત્તામાં પાછા લાવવામાં મદદ કરશે. શેખ હસીનાની જવાબદારી ભારત ઉઠાવી રહ્યું છે. ભારતીય અને બાંગ્લાદેશી લોકોને એકબીજા સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ શું ભારતે સમગ્ર દેશને પ્રોત્સાહન નહીં કે કોઈ એક પક્ષને? રોય એવા સવાલોના જવાબ આપી રહ્યા હતા કે બીએનપી ભારત વિરોધી પૂર્વગ્રહ ધરાવે છે.
હિંદુઓ પરના કથિત હત્પમલાના અહેવાલો અને બીએનપી લઘુમતી વિરોધી હોવાની ધારણા વિશે પૂછવામાં આવતા રોયે કહ્યું, એક ધારણા બનાવવામાં આવી છે કે બીએનપી હિંદુ વિરોધી છે. બીએનપી બાંગ્લાદેશમાં વિવિધ સમુદાયોના લોકોથી અને બધા ધર્મેા માટે બનેલી છે. હત્પં આ પાર્ટીની સરકારમાં મંત્રી રહ્યો છું અને બીએનપીના સર્વેાચ્ચ નિર્ણય લેવાના પ્લેટફોર્મમાં ખૂબ જ ઉચ્ચ હોદ્દો ધરાવે છે, પરંતુ અમે તમામ સમુદાયોના વ્યકિતગત અધિકારોમાં વિશ્વાસ કરીએ છીએ.
તેમણે કહ્યું, યારે હત્પં ૧૯૯૧માં મંત્રી હતો, ત્યારે મેં દુર્ગા પૂજા માટે દાનની પ્રણાલી શ કરી હતી અને તે પછી કોઈ સરકારે આ નીતિને રોકી નથી, તે હજુ પણ ચાલુ છે. અમારી પાર્ટીની સરકાર છે જેણે તેની શઆત કરી હતી. બાંગ્લાદેશનો ઉપયોગ કરીને ભારતને નિશાન બનાવનાર આતંકવાદી તત્વોની ચિંતા અંગે રોયે કહ્યું, આ ફરી એક ધારણા છે. સત્ય નથી. ભારતે અમને આઝાદી અપાવવામાં મદદ કરી છે. અમે ભારતની વિદ્ધ ન હોઈ શકીએ. તેમણે કહ્યું, આપણે એક નાનો દેશ છે, આપણા લોકો માટે તબીબી સુવિધાઓ અને અન્ય ઘણી વસ્તુઓ સહિત ઘણી વસ્તુઓ માટે અમને ભારતની જર છે, પરંતુ ભારતને આ વસ્તુઓ પર બાંગ્લાદેશીઓ પાસેથી જે આવક મળે છે તે પણ નાની રકમ નથી.
બીએનપી અને જમાત–એ–ઈસ્લામી વચ્ચેના સમીકરણ વિશે પૂછવામાં આવતા, રોયે સ્પષ્ટ્રતા કરી કે તે કોઈ વૈચારિક સંબધં નથી. તે એક વ્યૂહાત્મક સમર્થન છે, જે ચૂંટણીના રાજકારણ સાથે સંબંધિત છે.
તેમણે કહ્યું, આવામી લીગ સત્તાવાર રીતે જમાત સાથે ગઠબંધનમાં હતું. ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી, અમારો (બીએનપી) જમાત સાથે કોઈ સંબધં નહોતો. ડાબે હતું જમણે હતું પરંતુ જમાત અમારી સાથે ન હતી. શેખ હસીનાએ જમાતને તેનું નામ આપ્યું હતું. બાદમાં તેઓએ હેફાઝત–એ–ઈસ્લામ જૂથની રચના કરી, આજે એ જ હેફાઝત ચૂંટણીમાં માને છે.
નવી વચગાળાની સરકારની રચનાની પ્રક્રિયા પર, રોયે કહ્યું, વિધાર્થીઓ ડો મોહમ્મદ યુનુસને નેતા તરીકે ઇચ્છતા હતા અને વચગાળાની વ્યવસ્થા તરીકે બિન–રાજકીય સરકાર ઇચ્છતા હતા, તેથી બીએનપીએ પક્ષ તરફથી કોઈ નામ સૂચવ્યું ન હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech