ખંભાળિયા: ગેમઝોન મૃતાત્માંઓને શ્રધ્ધાંજલી

  • May 30, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં રાજકોટ શહેરમાં, ગેમ ઝોન ખાતે વિકરાળ આગ અકસ્માતમાં સ્વર્ગવાસી થયેલ દિવંગત આત્માઓને જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ તથા માનવસેવા સમિતિ ખંભાલિયાના સદસ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી, ભાવેશભાઈ વિઠલાણી, પરેશભાઈ કુંડલીયા, જીગ્નેશભાઈ કોટેચા, સુનિલભાઈ ગોકાણી, પ્રફુલભાઈ દાસાણી, મહેન્દ્રભાઈ કુંડલીયા, માનવ સેવા સમિતિના મનુભાઈ પાબારી, વિમલભાઈ સાયાણી, દિલીપભાઈ વિઠલાણી, રાકેશભાઈ પંચમતીયા તેમજ ડોક્ટર એચ.એન.પડિયા, પ્રવીણભાઈ છગ, કમલેશભાઈ રાયચુરાતથા અન્ય શહેરીજનોએ ઉપસ્થિત રહી દિવંગત આત્માઓની શાંતિ માટે રામધૂન અને પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application