તુવેરના પાકમાં દવાનો છંટકાવ કરતી વેળાએ વિપરીત અસર થઇ
જામજોધપુરના સડોદર ગામ વાડી વિસ્તારમાં રહેતી એક યુવતિ તુવેરના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા એ દરમ્યાન દવાની વિપરીત અસર થતા હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં સારવારમાં તેણીનું મૃત્યુ થયું છે.
મુળ મઘ્યપ્રદેશના ધાર જીલ્લાના અને હાલ જામજોધપુર સડોદર વાડી વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા સુનીતાબેન ગોપાલભાઇ પવાર (ઉ.વ.21) નામની યુવતિ ગઇકાલે પોતે ભાગમાં રાખેલ ખેતરમાં તુવેરના પાકમાં દવાનો છંટકાવ કરતા હતા.
દરમ્યાન ઝેરી દવાની અસર થતા ઉલ્ટી-ઉબકા કરવા લાગ્યા હતા, જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે હાલ ભાડથર ગામમાં રહેતા મુળ એમપીના વતની મોહન કેભાઇ શિંગાળ દ્વારા શેઠવડાળા પોલીસમાં જાહેર કરાયુ હતું.
મકાજી મેઘપર પાસે બાઈક સ્લીપ થતા આધેડનું મૃત્યુ
જામનગર તાલુકાના ખારાવેઢા ગામમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા સામતભાઈ વીરાભાઇ લામકા (ઉ.વ.50) નામના આધેડ તા. 4 રાત્રીના સુમારે પોતાનું બાઈક નં. જીજે10ડીડી-4396 લઈને જમવા જતા હતા. જે દરમિયાન મકાજી મેઘપર પાસે મંગળપુરની ગોળાઈમાં પહોચતા અચાનક બાઇક સ્લીપ થઈ જતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી, આથી સારવારમાં લઇ જતા જયાં તેમનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર લાલાભાઇ સામતભાઈ લામકાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષિત પાણીના વિતરણથી દેકારો; કાલે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં પાણી ઢોળવાનું એલાન
April 28, 2025 03:29 PMવર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું
April 28, 2025 03:24 PMરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech