દેગામના મહેર સમાજ ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે વૃક્ષોનું થયું વાવેતર

  • September 11, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેગામના મહેર સમાજ ચામુંડા માતાજી મંદિર  ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે.
ગુજરાત સરકારના વન વિભાગની જુદી-જુદી યોજનાઓ અન્વયે વૃક્ષ વાવેતરને પ્રોત્સાહન આપવાના હેતુસર પોરબંદર પ્રોટેક્શન રેન્જ  તરફથી સારી જાતના અને  ઊંચાઈવાળા રોપા,તથા પાંજરાની ફાળવણી કરવામાં આવતા દેગામ મહેર સમાજ ચામુંડા માતાજી મંદિર ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર  સરવૈયા  તથા મહેર સમાજ દેગામના પ્રમુખ ભીમભાઇ સુંડાવદરાના માર્ગદર્શન મુજબ રામભાઇની ટીમ દ્વારા ઘણા વૃક્ષોનું વાવેતર કરી પાંજરા પણ ફીટ કરી આપેલ હતા.વન વિભાગ તરફથી મંદિર સંકુલમાં વૃક્ષ વાવેતરની સારી કામગીરી કરવામાં આવી છે, તે બદલ વન વિભાગ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરવૈયાનો મહેર સમાજ દેગામ તરફથી  આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application