પોરબંદરના રોકડીયા હનુમાનથી જ્યુબેલી તરફ જતા રસ્તે સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરીમાં ડિવાઇડર પરના વૃક્ષોને નુકશાન થયુ છે તેથી મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
પોરબંદરના એડવોકેટ કમ આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભનુભાઇ ઓડેદરાએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોરબંદર શહેરના બાયપાસ રોકડીયા હનુમાન મંદિરથી લઇ જ્યુબેલી પુલ-બોખીરા ફોરેલેન ઉપર વચ્ચેના ભાગમાં સ્ટ્રીટલાઇટ નાખવાની હોવાથી કોન્ટ્રાકટર દ્વારા ફોરલેન વચ્ચેના ભાગમાં વર્ષો જુના હયાત વૃક્ષો તથા હાલમાંજ વાવેલા ‘સદભાવના’ના વૃક્ષો ઉપર જે.સી.બી. મશીન મૂકી વચ્ચેના ભાગમાં ઇલેકટ્રીક કેબલ માટે ખોદકામ કરવાથી વૃક્ષોના મૂળ તૂટી જવા પામેલ છે. તથા આ ફોરલેનની લાખો પિયાના ખર્ચે જે તે વખતે રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા કરવામાં આવેલી પેરાપેટ તૂટી જવા પામેલ છે.
આ સ્ટ્રીટલાઇટના કેબલ માટે ખોદકામ મેન્યુઅલી(માણસો)થી કરવાના બદલે મોટા જે.સી.બી.થી ખોદકામ કરવાથી મોટુ નુકશાન વૃક્ષો અને રોડ પેરાપેટને થવા પામેલ હોય આથી જવાબદાર એજન્સી અને આ કામનું સુપરવીઝન કરતા અધિકારી સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ કામગીરીમાં માનવીય બેદરકારીથી વૃક્ષોને અને સાઇડ પેરાપેટને નુકશાન થયેલ હોય. બાદ જણાવવાનું કે વિકાસના ઓથા નીચે હાલમાં ચાલતી સ્ટ્રીટલાઇટની રોકડીયા હનુમાન મંદિરથી જ્યુબેલી પુલ બોખીરા સુધીની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ફોરલેન વચ્ચે ઇલેકટ્રીક કેબલ માટે માણસોથી કામગીરી કરવાના બદલે મોટા જે.સી.બી. મશીનથી ખોદકામ કરવાથી વચ્ચેના ભાગમાં આવેલા વૃક્ષોને નુકશાન થવા પામેલ છે અને હાલમાં સદભાવના -રાજકોટ દ્વારા વૃક્ષો વાવવામાં આવેલા છે. તેમને પણ નુકશાન થયેલ છે અને મોટુ નુકશાન વચ્ચેના ભાગમાં સિમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવેલી પેરાપેટ એકબાજુ તોડી નાખી ત્યાં કેબલ નાખવામાં આવી રહ્યો છે.
આ કામગીરીમાં સુપરવિઝનનો સંપૂર્ણ અભાવ રહ્યો છે. જો નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય તો આ બાબત શરમજનક કહેવાય કે મેન્યુઅલી કામ કરવાના બદલે મોટા મશીનથી કામ કરવાથી મોટુ નુકશાન થવા પામેલ છે. આથી હાલમાં આ કામ અટકાવી પેરાપેટ વૃક્ષો બાબતે જરી કાર્યવાહી કરવા અપીલ છે. તેમ ભનુભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech