જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ

  • October 01, 2024 01:43 PM 

"સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" પખવાડીયુ અંતર્ગત  


ભારત સરકારશ્રી દવારા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનના દશ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા તા.૧૭-૦૯-૨૦૨૪ થી તા.૦૨-૧૦-૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન તથા નિર્મળ ગુજરાત ૨.૦ ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઇ સમગ્ર રાજ્યમાં કામગીરીનું અમલીકરણ કરવા જણાવેલ છે જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયા કાર્યક્રમ માન.મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને તા.૨૬-૦૯-૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે રાજકોટ રોડ,ગુલાબનગર ગ્રીન બેલ્ટ,ગુજરાત ગેસની બાજુમાં "વૃક્ષારોપણ" કાર્યક્રમ યોજવામાં આવ્યો.


આ કાર્યક્રમમાં માન.ડે.મેયર  ક્રિષ્નાબેન સોઢા,કમિશર ડી.એન. મોદી ,શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, ,દંડક કેતનભાઈ નાખવા, . ડે.કમિશનર ડી.એ.ઝાલા , સભ્ય આશાબેન રાઠોડ તેમજ ડી.કે.વી. આર્ટસ & સાયન્સ કોલેજ,શ્રી એમ.પી.શાહ કોમર્સ કોલેજ તથા ગુજરાત પોલીટેકનીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ અલગ-અલગ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


આ સમગ્ર કાર્યક્રમ માન. કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ ડે.કમિશ્નર ડી.એ.ઝાલા , આસી.કમિશ્નર(વ)  બી.એન.જાની  તથા કાર્યપાલક ઇજનેર એમ.બી. વરણવા  દ્વારા સૂચવ્યા મુજબ લગત શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application