BREAKING NEWS

જમીન દફ્તર નિયામક કચેરીના ક્લાસ-૨ અધિકારીઓની બદલી, અતુલ દેવંગડા રાજકોટ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૨ તરીકે નિયુક્ત

  • April 01, 2026 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય ખાતેથી આજે એક મહત્વનો હુકમ જારી કરવામાં આવ્યો છે. સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકની કચેરી હેઠળ રાજ્ય સેવાના વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓની જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી છે. આ બદલીઓ દ્વારા જમીન સંપાદન અને દફ્તર
કામગીરીમાં વધુ પારદર્શિતા અને ગતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા અધિકારીઓની ફેરબદલ કરીને વહીવટમાં નવી ઊર્જા લાવવાનો આ સરકારનો પ્રયાસ છે. 


નવા નિમણૂક પામેલા અતુલ દેવંગડા રાજકોટમાં સિટી સર્વેના બાકી રહેલા પ્રશ્નો અને માપણીની ફરિયાદોના નિકાલ માટે જવાબદાર રહેશે. ગાંધીનગર સચિવાલય દ્વારા આ હુકમની નકલ તમામ સંબંધિત વિભાગોને જાણ અને અમલવારી માટે રવાના કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News