મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં શુક્રવારે સાંજે ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના થઈ હતી. મંદિરની એક દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવાને કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદ ચાલુ છે અને આ વરસાદ વચ્ચે પ્રસિદ્ધ મહાકાલ મંદિરના ગેટ નંબર 4 ની એક દીવાલ ધરાશાયી થઈ ગઈ. જેના કારણે ઘણા લોકો તે દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ સ્થિતિમાં લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, અને બે લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. પ્રશાસને મૃતકોની વિગતો પણ જાહેર કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ મહાકાલ મંદિરમાં થયેલી દુર્ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં ભારે વરસાદ વચ્ચે લોકો રાહત કાર્યમાં લાગેલા જોવા મળે છે. પીટીઆઈએ આ અકસ્માતમાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે અને અન્ય બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application5.75 કરોડની છેતરપિંડી મામલે પુનાના બે ઉદ્યોગપતિની આગોતરાઅરજી ફગાવાઇ
April 26, 2025 02:09 PMઉત્તરપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો જોરદાર વિસ્ફોટ: નવ કામદારોના મોત
April 26, 2025 02:08 PMઅમેરિકા જનારા પર્યટકોની સંખ્યામાં 11.6 ટકાનો ઘટાડો
April 26, 2025 02:06 PMરાજકોટ મનપામાં ક્લાર્કની ૧૨૨ જગ્યાઓ માટે ૬૦૫૨૧ ઉમેદવારો; તા.૪ મે ના પરીક્ષા
April 26, 2025 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech