મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં શુક્રવારે સાંજે ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના થઈ હતી. મંદિરની એક દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવાને કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદ ચાલુ છે અને આ વરસાદ વચ્ચે પ્રસિદ્ધ મહાકાલ મંદિરના ગેટ નંબર 4 ની એક દીવાલ ધરાશાયી થઈ ગઈ. જેના કારણે ઘણા લોકો તે દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ સ્થિતિમાં લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, અને બે લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. પ્રશાસને મૃતકોની વિગતો પણ જાહેર કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ મહાકાલ મંદિરમાં થયેલી દુર્ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં ભારે વરસાદ વચ્ચે લોકો રાહત કાર્યમાં લાગેલા જોવા મળે છે. પીટીઆઈએ આ અકસ્માતમાં બે લોકોના મોતની પુષ્ટિ કરી છે અને અન્ય બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
September 27, 2024 11:54 PMજૂનાગઢમાં ધોધમાર વરસાદથી ભવનાથમાં ઠેર-ઠેર પાણી, ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ
September 27, 2024 11:49 PMઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી, 2 ભક્તોના મોત
September 27, 2024 11:46 PM'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું નામ ફરી વિવાદમાં, નિર્માતાઓએ પલક સિંધવાનીને મોકલી નોટિસ
September 27, 2024 06:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech