જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • June 26, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૫,૦૦૦ની રોકડ રકમ અને બે સોનાની વીંટી સહિતની માલમત્તાની ચોરીની ફરિયાદ



જામનગર શહેરમાં તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને તિજોરી નો લોક ખોલી અંદરથી ૧૫,૦૦૦ની રોકડ રકમ અને બે સોનાની વીંટી વગેરેની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં રાજપાર્ક નજીક રંગમતી પાર્કમાં રહેતા મિલાપ ચેતનભાઇ ચૌહાણ નામના યુવાને પોતાના રહેણાક મકાનમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી લોકરમાં રાખેલી ચાવી વડે લોક ખોલી નાખી અંદરથી રૂપિયા ૧૫,૦૦૦ની રોકડ રકમ તેમજ બે સોનાની વીંટી વગેરે મળી રૂપિયા ૩૦,૦૦૦ ની માલમત્તા ની ચોરી કરી ગયા હતા. જે બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application