જામનગરના ગ્રેઈન માર્કેટમાં જાણીતી પેઢીમાં તસ્કરો ત્રાટક્યા

  • August 26, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેમેરાનું ડીવીઆર અને ખાંડની ગુણીઓે ઉઠાવી ગયા

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં તહેવાર પહેલાં જ તસ્કર ટોળકી એ તરખાટ મચાવ્યો છે, અને ચોરીની ઘટનાઓ છાશવારે બની રહી છે, ત્યારે ગઈકાલે રાત્રે ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી એક નામાંકીત વેપારી પેઢીમાં પણ તસ્કરો એ ખાતર પાડ્યું છે. બનાવની જાણ થતા પોલીસ ટુકડી તપાસ માટે દોડી ગઇ હતી.
શહેરની ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી રમણીકલાલ દામોદરદાસની વેપારી પેઢીમાં ગઈ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જે પેઢીમાં તસ્તરોએ બારીના સળિયા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સૌપ્રથમ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ઉઠાવી ગયા હતા, ત્યારબાદ વેપારી પેઢીની અંદર રહેલા કબાટને તોડી નાખી માલ સામાન વેરણ છેરણ કર્યો હતો, જ્યારે અંદર રહેલી તિજોરીને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળ થયા ન હતા.
 તેથી તસ્કરોએ વેપારી પેઢીમાં રાખવામાં આવેલી ખાંડ ની ગુણીઓનો કેટલોક જથ્થો ઉઠાવી ગયા હતા. સમગ્ર ઘટનાની આજે સવારે વેપારી પેઢી ખોલતી સમયે જાણ થવાથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. આસપાસના વિસ્તારના અન્ય સી.સી ટીવી કેમેરાઓની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application