ટ્રાફિક ડ્રાઈવ અને લોકોમાં અવેરનેસ વધવાને લીધે અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો

  • April 21, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અને લોકોમાં અવેરનેસ વધવાને લીધે અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે જિલ્લામાં અકસ્માત સર્જાય તે પ્રકારનું સઘન આયોજન કરવા, ઈજ્ઞળાયક્ષતફશિંજ્ઞક્ષ જ્ઞિં ટશભશિંળત ફક્ષમ જ્ઞર ઇંઈંઝ ફક્ષમ છીક્ષ ખજ્ઞજ્ઞિંિ અભભશમયક્ષતિં જભવયળય, ૨૦૨૨ અન્વયે ચાલુ માસમાં કરવામાં આવેલ કામગીરી, જિલ્લામાં થયેલા અકસ્માત અને તેના લીધે થયેલ ગંભીર ઈજાઓ અને માનવ મૃત્યુના આંકડાની સમીક્ષા, પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ હાઈ-વે પર ઓવર સ્પીડમાં ચાલતા વાહનોનું સ્પીડ ગન દ્વારા એન્ડોર્સમેન્ટની કામગીરી, જિલ્લામાં આવેલા "માર્ગ અકસ્માત સંભવિત ક્ષેત્ર" અને "જાહેર સ્થળોએ" આર.ટી.ઓ. કચેરી દ્વારા ટીમ વાહન દ્વારા જન-જાગૃતિના કાર્યક્રમો યોજવા, આર.ટી.ઓ. દ્વારા ભારે માલ વાહક વાહનોમાં રેડીયમ - રીફલેકટર લગાવવાનું આયોજન કરવા નિવાસી  અધિક કલેક્ટરએ સંબંધિત વિભાગને સુચના આપી હતી.
આર. ટી. ઓ. ઓફિસરએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઇ.ચા.પોલીસ અધિક્ષક અંશુલ જૈન સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News