કાલે લાભપાંચમ:શુભ મુહૂર્તમાં વેપાર -ધંધાનો થશે પૂનઃ પ્રારંભ

  • November 17, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારતક સુદ પાંચમને જ્ઞાનપાંચમી પણ કહેવામાં આવે છે આથી પુસ્તકોનું પૂજન કરવામાં આવશે. આવતીકાલે તા.૧૮ને શનિવારે કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમ છે.દિવાળીના તહેવારોની રજાનો માહોલ પૂર્ણ થયા બાદ આવતીકાલથી વેપાર ધંધાનો પુનઃ પ્રારંભ થશે.લાભ પાંચમને જ્ઞાન પાંચમી પણ કહેવામાં આવે છે.આથી પુસ્તકોનું પૂજન કરવામાં આવશે.


  દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે.રજાનો માહોલ પૂર્ણ થયો છે.વેપારીઓ પણ દિવાળીના તહેવારોની રજા માણ્યા બાદ આવતીકાલે કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમથી પૂનઃ વેપાર ધંધાનો પ્રારંભ કરશે.લાભપાંચમના દિવસે મુહૂર્તના સોદા કરવામાં આવશે.તદઉપરાંત લાભપાંચમના શુભ અને શુકનવંતા દિવસે સોના ચાંદીની અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી થશે.


 તદઉપરાંત લાભ પાંચમના દિવસને જ્ઞાનપંચમી પણ કહેવામાં આવે છે.કાલે પુસ્તકોનું પૂજન કરવામાં આવશે.જૈન સમાજ દ્વારા ધાર્મિક પુસ્તકોનું પૂજન કરવામાં આવશે.અનેક લોકો કેટલીક વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન પંચમીથી પ્રારંભ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application