રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ ઉ.વ.૩૪નું માલવિયાનગર પોલીસના એએસઆઈએ માર મારતા મોત નીપજયાના આરોપની ઘટનામાં આરોપી એએસઆઈ (આસ્ટિન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર) ૪૮ કલાકની અંદર પકડાઈ જશે તેવી પોલીસ દ્રારા અપાયેલી ખાતરીનો આજે આખરી દિવસ છે. સાંજ સુધીમાં આરોપી પકડાઈષ જાય કે હાજર થઈ જાય તેવી આશા પોલીસને દેખાઈ રહી છે.
ત્રણ દિવસ પૂર્વે તા.૧૪ના યુવક પરિચિત રાજેશ સોલંકીને પાડોશમાં થયેલા ઝઘડામાં સમજાવવા સમાધાન માટે ગયો હતો ત્યાં માલવિયાનગરની પોલીસ પીસીઆરમાં પહોંચી હતી. માથાકૂટમાં હમીર ઉર્ફે ગોપાલને માર મારી પીસીઆરમાં બેસાડી માલવિયાનગર પોલીસ મથકે લઈ અવાયો હતો. જયાં માર મારીને મુકત કરી દેવાયો હતો. બીજા દિવસે તા.૧૫ના રોજ સવારે સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનું તા.૧૬ના રોજ મૃત્યુ નીપજયું હતું. મોતની ઘટના બાદ મામલો બીચકયો હતો. મૃતકના પરિવારજનો દલિત સમાજના અગ્રણીઓએ વિરોધ વ્યકત કરી તાત્કાલિક આરોપી પોલીસ એએસઆઈ અશ્ર્વિન કાનગડને પકડવા માગ ઉઠાવી હતી.
મૃતદેહને સાંજના સમયે સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યવુ પાસે લઈ અવાયો હતો રોડ પર સુઈ જઈ તેમજ વાહનો પર પથ્થરમારો કરાયો હતો. પરિસ્થિતિ વણસે એ પૂર્વે જ ત્યાં હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા આરોપીને ૨૪–૪૮ કલાકમાં પકડી લેવા ખાતરી અપાઈ હતી. સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યેા હતો.
ગઈકાલે પોલીસની ટીમો દ્રારા આરોપી એએસઓઈને શોધવા તેના જામનગર રોડ સ્થિત વર્ધમાનનગરના ઘરે તેમજ અન્ય સ્થળે તપાસ આદરી હતી જો કે, કોઈ ભાળ મળી ન હતી. જયારે સાથે રહેલા પોલીસમેન નરેશ રાઠોડનું નિવેદન લેતા તેને હમીરને પીસીઆરમાં લઈ આવ્યાથી માલવિયાનગર પોલીસ મથકમાં શું બન્યું તે સમગ્ર ઘટના વર્ણવી હતી. પોલીસ સ્ટેશનમાં પણ સીસીટીવી ચેક કરાયા છે. માર મારવાના બનાવ સમયે વપરાયેલી લાકડી પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. આજે ૪૮ કલાક પુૂર્ણ થતાં હોવાથી આરોપી એએસઆઈ સામેથી આવી જાય તેવું દેખાઈ રહ્યું છે. આરોપીના પિતા જેઠાભાઈ સરળ સ્વભાવના એએસઆઈ હતા હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech