રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ ઉ.વ.૩૪નું માલવિયાનગર પોલીસના એએસઆઈએ માર મારતા મોત નીપજયાના આરોપની ઘટનામાં આરોપી એએસઆઈ (આસ્ટિન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર) ૪૮ કલાકની અંદર પકડાઈ જશે તેવી પોલીસ દ્રારા અપાયેલી ખાતરીનો આજે આખરી દિવસ છે. સાંજ સુધીમાં આરોપી પકડાઈષ જાય કે હાજર થઈ જાય તેવી આશા પોલીસને દેખાઈ રહી છે.
ત્રણ દિવસ પૂર્વે તા.૧૪ના યુવક પરિચિત રાજેશ સોલંકીને પાડોશમાં થયેલા ઝઘડામાં સમજાવવા સમાધાન માટે ગયો હતો ત્યાં માલવિયાનગરની પોલીસ પીસીઆરમાં પહોંચી હતી. માથાકૂટમાં હમીર ઉર્ફે ગોપાલને માર મારી પીસીઆરમાં બેસાડી માલવિયાનગર પોલીસ મથકે લઈ અવાયો હતો. જયાં માર મારીને મુકત કરી દેવાયો હતો. બીજા દિવસે તા.૧૫ના રોજ સવારે સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનું તા.૧૬ના રોજ મૃત્યુ નીપજયું હતું. મોતની ઘટના બાદ મામલો બીચકયો હતો. મૃતકના પરિવારજનો દલિત સમાજના અગ્રણીઓએ વિરોધ વ્યકત કરી તાત્કાલિક આરોપી પોલીસ એએસઆઈ અશ્ર્વિન કાનગડને પકડવા માગ ઉઠાવી હતી.
મૃતદેહને સાંજના સમયે સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યવુ પાસે લઈ અવાયો હતો રોડ પર સુઈ જઈ તેમજ વાહનો પર પથ્થરમારો કરાયો હતો. પરિસ્થિતિ વણસે એ પૂર્વે જ ત્યાં હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા આરોપીને ૨૪–૪૮ કલાકમાં પકડી લેવા ખાતરી અપાઈ હતી. સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યેા હતો.
ગઈકાલે પોલીસની ટીમો દ્રારા આરોપી એએસઓઈને શોધવા તેના જામનગર રોડ સ્થિત વર્ધમાનનગરના ઘરે તેમજ અન્ય સ્થળે તપાસ આદરી હતી જો કે, કોઈ ભાળ મળી ન હતી. જયારે સાથે રહેલા પોલીસમેન નરેશ રાઠોડનું નિવેદન લેતા તેને હમીરને પીસીઆરમાં લઈ આવ્યાથી માલવિયાનગર પોલીસ મથકમાં શું બન્યું તે સમગ્ર ઘટના વર્ણવી હતી. પોલીસ સ્ટેશનમાં પણ સીસીટીવી ચેક કરાયા છે. માર મારવાના બનાવ સમયે વપરાયેલી લાકડી પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. આજે ૪૮ કલાક પુૂર્ણ થતાં હોવાથી આરોપી એએસઆઈ સામેથી આવી જાય તેવું દેખાઈ રહ્યું છે. આરોપીના પિતા જેઠાભાઈ સરળ સ્વભાવના એએસઆઈ હતા હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech