અત્યાર સુધીમાં 46.8 મીટર સુધી થયું ડ્રિલિંગ, ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા રોકવામાં આવ્યું ડ્રિલિંગનું કામ

  • November 23, 2023 10:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ચાલી રહેલ બચાવ કાર્ય હવે તેના અંતિમ તબક્કામાં છે. હવે રેસ્ક્યુ ટીમ ભારત અને વિદેશથી લાવવામાં આવેલા મશીનોની મદદથી 41 મજૂરોને બહાર કાઢવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.


ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલ બચાવ અભિયાન હવે તેના અંતિમ પડાવ પર છે. આશા છે કે ગુરુવારે તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર આવી જશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે.


અત્યાર સુધીમાં 46.8 મીટર સુધી ડ્રિલ કરાઈ

ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ થઈ ગયું હતું. અત્યાર સુધી બચાવ કાર્યકરોએ સિલ્ક્યારા ટનલમાં 46.8 મીટર ડ્રિલ કર્યું છે


રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોચ્યા મુખ્યમંત્રી ધામી

જ્યારે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી ગુરુવારે સાંજે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનનું નિરીક્ષણ કરવા માટે સિલ્ક્યારા ટનલ પહોંચ્યા હતા. ત્યારે તેમણે ટનલના મુખ પાસે આવેલા બૌખનાગ દેવતાના મંદિરમાં પણ પૂજા-અર્ચના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application