વાઘ શિકાર અને સાથી શોધવા માટે માત્ર લાંબા સમય સુધી રાહ જોઈ શકતા નથી, આ માટે તે લાંબા અંતરની મુસાફરી પણ કરી શકે છે. મહારાષ્ટ્ર્રના નાંદેડના કિનવાટનો જોની નામનો વાઘ સાથીદારની શોધમાં તેલંગાણા પહોંચ્યો હતો. તેણે ૩૦૦ કિલોમીટરનું અંતર ૩૦ દિવસમાં પૂં કયુ. ઓકટોબરના ત્રીજા સાહમાં તેમનો પ્રવાસ શ થયો હતો.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે શિયાળાની ઋતુ વાઘની પ્રજનન ઋતુ છે. કેટલાક નર વાઘ માદા વાઘની શોધમાં લાંબી મુસાફરી પર નીકળે છે. મહારાષ્ટ્ર્રના નર વાઘ સામાન્ય રીતે જીવનસાથીની શોધમાં અગાઉના આદિલાબાદ જિલ્લાના જંગલોમાં સ્થળાંતર કરે છે. સાત વર્ષના જોનીને એક મહિના સુધી શોધ કરવા છતાં માદા વાઘણ મળી નથી.
વન અધિકારીઓનું કહેવું છે કે વાઘ ૧૦૦ કિમી દૂરથી માદા વાઘની ખાસ સુગધં શોધી શકે છે. તેલંગાણાના ઉત્નૂર મંડળમાં પ્રવેશતા પહેલા જોનીએ આદિલાબાદ જિલ્લા સહિત મહારાષ્ટ્ર્રના ઘણા જંગલોમાં ભ્રમણ કયુ હતું. બાદમાં તે ઉટનૂરના લાલટેકડી ગામ પાસે રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો. અદિલાબાદના નારણુર મંડલમાં જોનીને ફરતો જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર સાથી શોધી રહેલા વાઘ સામાન્ય રીતે માણસોને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ જોનીએ પ્રવાસ દરમિયાન પાંચ પશુઓને મારી નાખ્યા હતા. તેણે બે ગાયો પર પણ હત્પમલો કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech