રાયમાં આગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આજરોજ નવસારીમાં આગની ઘટના ઘટી હતી. શહેરના ગણદેવી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ ગોડાઉનમાં આગ લાગતા ત્રણ લોકોના મોત નિપયા હતા. તથા ચાર લોકો ઘાયલ થયા હતા.
નવસારીમાં વધુ એક આગની ઘટના સર્જાઇ હતી. ગણદેવીમાં દેવસર નજીક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગની લાગી હતી. આસપાસના લોકોએ કેમિકલના બેરલ ટ્રકના કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતુ. ત્યારે આ ઘટનામાં ગોડાઉનમાં કામ કરતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપયા હતા. તથા અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબુ મેળવવા માટે ત્રણથી વધુ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં બીલીમોરા, ગણદેવી, ચીખલી સહિતની ફાયરની ટીમ હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ હજુ પણ વિકરાળ બને તેવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech