આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' હેઠળ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેનની શઆત રેલ સેવાનું નવું ધોરણ સ્થાપિત કરશે, જે નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉધોગપતિઓ અને વિધાર્થી સમુદાયોની જરિયાતોને પૂરી કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' હેઠળ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ વંદે ભારત ટ્રેનો ત્રણ ટ – મેરઠ–લખનૌ, મદુરાઈ–બેંગલુ અને ચેન્નાઈ–નાગરકોઈલની કનેકિટવિટીમાં વધુ સુધારો કરશે. મેરઠ સિટી–લખનૌ વંદે ભારત ટ્રેન બે શહેરો વચ્ચેની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ એક કલાક બચાવશે.
એ જ રીતે, ચેન્નાઈ એગ્મોર–નાગરકોઈલ અને મદુરાઈ–બેંગલુ વંદે ભારત ટ્રેનો બે કલાકથી વધુ સમયમાં મુસાફરી પૂરી કરશે અને લગભગ ૯૦ મિનિટની બચત કરશે. નવી વંદે ભારત ટ્રેનો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરીનું વિશ્વ–સ્તરીય સાધન પ્રદાન કરશે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેનની શઆત રેલ સેવાનું નવું ધોરણ સ્થાપિત કરશે, જે નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉધોગપતિઓ અને વિધાર્થી સમુદાયોની જરિયાતોને પૂરી કરશે. ભારતની સૌપ્રથમ સ્વદેશી રીતે ડિઝાઈન કરેલી અને બનેલી, અર્ધ–હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન મુસાફરોને આધુનિક અને આરામદાયક રેલ મુસાફરીનો અનુભવ
આપે છે.
વંદે ભારત ટ્રેનો હાઇ સ્પીડ અને સેમી હાઇ સ્પીડ પર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અગાઉ રાયસભામાં જણાવ્યું હતું કે ભારતીય રેલવેએ ૨૦૧૯–૨૦૨૦ થી ૨૦૨૩–૨૦૨૪ દરમિયાન તેના નેટવર્ક પર ૧૦૦ વંદે ભારત ટ્રેનો સહિત ૭૭૨ વધારાની ટ્રેન સેવાઓ શ કરી છે.વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે અત્યાર સુધીમાં કુલ ૧,૩૪૩.૭૨ કરોડ પિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech