પોરબંદરના રાતીયાનેશ વિસ્તારમાં જંગલખાતાની અનામત જગ્યામાંથી બળદગાડા દ્વારા રેતીચોરી કરનારા ત્રણ ઇસમોને વનવિભાગે પકડી લીધા હતા અને ૫૪ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
પોરબંદર વન વિભાગના નાયબ વનસંરક્ષક પ્રસાદ રવિક્રિષ્ન તથા એ.સી.એફ. રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ રાણાવાવ રેન્જના આર.એફ.ઓ. મલય મણીયારની ટીમ દ્વારા તા. ૪-૬-૨૦૨૫ના રોજ પોરબંદર વનવિભાગનો સ્ટાફ સંયુકત પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન રાણાવાવ રેન્જની માધવપુર રાઉન્ડની રાતીયા બીટના રાતીયાનેશની સ્મશાનની બાજમાં આવેલ રીઝર્વ ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દાખલ થઇ બળદવાડા સાથે અપ્રવેશ કરી જંગલ વિસ્તારમાં દરિયાઇ રેતી એકત્રિત કરી બળદગાડામાં ભરી લઇ જવા બાબતેનો આ ગુન્હો નોંધવામાં આવેલ હતો અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમની જોગવાઇ મુજબ માધવપુર રાઉન્ડમાં ગુનો નોંધી અને સદરહુ ગુના અન્વયે આ ગુનો કરનાર અરજણ વીરા કરમટા, હાજા નાથા મોરી તથા નથુ સાજણ કોડીયાતર રહે. તમામ રાતીયાનેશવાળા પાસેથી રકમ ા. ૫૪,૦૦૦ દંડ પેટે વસુલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech