રાજુલા અને રાજુલા પંથકના ત્રણ હિસ્ટ્રીશીટર તેમજ જાફરાબાદના બોગસ ડોકટરને તડીપાર કરવાની કાર્યવાહી સાવરકુંડલા ડીવાયએસપી દ્રારા કરવામાં આવી છે. રાજુલાના સલાટવાડા વિસ્તારમાં રહેતો મુસ્તાક હનીફભાઇ કુરેશી સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં દારૂ, જુગારના ૧૮ ગુના નોંધાયેલા છે. જયારે રાજુલાના વાવેરાના કનુ રાવતભાઇ ધાખડા સામે દારૂ જુગારના ૩૨ જેટલા ગુના નોંધાયેલા છે. ઉંટીયાના રમેશ ઉકાભાઇ પરમાર સામે ડુંગર, સુરત અને ભાવનગર મળી ૧૦ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ગુના તેમજ જાફરાબાદના મુખત્યાર હત્પશેન ગુલામહત્પશેન શેખ સામે કોઇપણ જાતની ડીગ્રી વગર મેડિકલ પ્રેકિટસ કરી દર્દીઓ સાથે ચેડા કરવાના જાફરાબાદ પોલીસમાં બે ગુના નોંધાતા ચારેય શખસો સામે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લ ામાં વારંવાર ગુના આચરતા અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરતા અમરેલી જિલ્લ ા પોલીસ વડા સંજય ખરાત દ્રારા સુચના આપવામાં આવતા સાવરકુંડલા ડિવિઝનના ડીવાયએસપી વલય વૈધ દ્રારા પંથકમાં ગુનાખોરી આચરનાર ચાર શખસો વિરૂધ્ધ પુરાવા એકઠા કરી તડીપારની દરખાસ્ત તૈયાર કરી રાજુલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડો. મેહત્પલ બરાસરાને મોકલી આપવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂર કરતા પોલીસ દ્રારા મુસ્તાક હનિફભાઇ કુરેશી (રહે. રાજુલા, સલાટવાડા વિસ્તાર), કનુ રાવતભાઇ ધાખડા (રહે. વાવેરા), રમેશ ઉકાભાઇ પરમાર (રહે. ઉંટીયા, તા.રાજુલા) અને મુખત્યાર હત્પશેન ગુલામહત્પશેન શેખ (રહે. જાફરાબાદ, લાઇટ હાઉસ રોડ). આ ચારેય શખસોને પોલીસ દ્રારા અટકાયત કરી અમરેલી, ભાવનગર તથા ગીરસોમનાથ જિલ્લ ાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી રાજુલા પીઆઇ એ.ડી. ચાવડા તથા એલસીબી પીઆઇ વી. એમ. પોલાદરા, જાફરાબાદ મરીન પીઆઇ ડી.એસ. ઇશરાણી, ડુંગર પીઆઇ વી.એસ. પલાશ તથા પીએસઆઇ એમ.ડી. ગોહિલ અને ટીમ દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડનો ચેક રિટર્ન કેસની પ્રોસિડિંગ સ્ટેની આરોપી કંપનીની અરજી ફગાવાઈ
May 08, 2025 03:07 PMપોરબંદર જિલ્લાનું ધોરણ ૧૦નું ૮૦.૪૨ ટકા પરિણામ થયુ જાહેર
May 08, 2025 03:06 PMવર્ગ-૪ના પાર્ટ ટાઈમ શ્રમયોગીની કાયમી થવાની અરજી લેબરકોર્ટ દ્વારા નામંજુર
May 08, 2025 03:04 PMરૂ. 15 લાખ 18 ટકા વ્યાજ સાથે મિત્રને સુપ્રત કરવા એસ્ટેટ બ્રોકરને કોર્ટનો હુકમ
May 08, 2025 03:00 PMહિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર
May 08, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech