ભાદરા: મહંત સ્વામીના દર્શન માટે ઉમટયા હજારો ભકતો

  • July 13, 2024 11:24 AM 

૧૮ જુલાઈ સુધી બી.એ.પી.એસ મહંત સ્વામી રહશે ભાદરા


જોડિયાથી સાત કિલોમીટર દૂર પ્રસિદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ખાતે ગત તા, ૧૨ ના રોજ સવારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપશ્રી મહંત સ્વામી મહારાજશ્રીના દર્શન માટે જામનગરથી આશરે છ હજાર જેટલાં હરી ભક્તો આવ્યા હતા પૂજાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી.


હજુ પણ મહંત સ્વામી ૧૮ જુલાઈ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરશે જેમાં ૧૪ જુલાઈ રવિવારના સવારે ૫ :૩૦ થી ૬ : ૪૫ પૂજ્ય આદર્શ જીવન સ્વામીશ્રીની પ્રાતઃ કથા સવારે ૬ : ૪૫ થી ૮ : ૦૦ સ્વામીશ્રીની પૂજા સવારે ૯ થી ૧૧ તુલસી તુલા સાંજે ૫ થી ૮ રવિ સભા તથા પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ તા, ૧૫ જુલાઈ મહિલા દીન તા, ૧૬ જુલાઈ મંગળવાર સવારે ૫ : ૩૦ થી ૬ : ૪૫ પૂજ્ય આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા સવારે ૬ : ૪૫ થી ૮ : ૦૦ સ્વામીશ્રીની પૂજા  સવારે ૯ થી ૧૧ સભા ૧૭ જુલાઈ વિરામદીન તા, ૧૮ જુલાઈના ગુરૂવારના રોજ હજારો ભક્તજનોની વચ્ચેથી વિદાય લઈ બોચાસણ જવા વિદાય લેશે.


અત્રે એં ઉલખેનીય છૅ કે ભાદરામા ગુણાતીતનગરમા આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ગુણાતીતાનંદ સ્વામીનું  જન્મસ્થાન છૅ આ પાવન ભૂમિમા પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ  યોગીજી મહારાજ તથા બ્રહ્મ સ્વરૂપશ્રી પ્રમુખ સ્વામી મહારાજ અવાર નવાર પધારતા હતા ભવ્ય શિખર સાથે મંદિર આવેલ છૅ ભાદરાના આગણે પ.પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પધાર્યા છે તો તેમની પાવનકારી ઉપસ્થિતિમા દર્શન સત્સંગનો લાભ લેવા પધારવા સાધૂ ધર્મકુંવરદાસ કોઠારી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર ગુણાતીતનગર  દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application