નવરાત્રીના તહેવાર દરમિયાન આઠમની તિથિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે કન્યા પૂજા પણ કરે છે. આ ઉપરાંત આ દિવસે કેટલાક એવા ઉપાયો પણ કરવા જોઈએ જે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માતાના આશીર્વાદ આપે છે. આ વસ્તુઓ કરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાઈ છે.
નવરાત્રિની આઠમ તિથિએ ઘીનો દીવો પ્રગટાવો
નવરાત્રીની આઠમના દિવસે જો પૂજા દરમિયાન ગાયના ઘીનો દીવો કરો છો, તો દેવી માતાના આશીર્વાદ તમારા પર વરસે છે. આ દિવસે ગાયનો દીવો પ્રગટાવવાની સાથે દેવી માતાના મંત્રોનો જાપ પણ કરવો જોઈએ. આ સરળ ઉપાય જીવનમાં ધન અને સમૃદ્ધિ વધારશે અને કારકિર્દીના ક્ષેત્રમાં પણ સફળતા મળવા લાગશે.
હળદર અને ચોખા સંબંધિત ઉપાય
નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી હળદર અને થોડા અખંડ ચોખા એક થાળીમાં રાખવા જોઈએ. આ પછી માતાની સામે તમારી મનોકામના કહ્યા પછી માતા મહાગૌરીને હળદર ચોખા અર્પણ કરો. તેની સાથે જ માતા મહાગૌરીના મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. આ પછી હળદર અને ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવા જોઈએ. આ ઉપાય અપનાવવાથી ન માત્ર તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે, પરંતુ માતા મહાગૌરી પણ તમારી મનોકામના પૂર્ણ કરે છે.
જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના લોકોનું સ્વાસ્થ્ય વારંવાર બગડી શકે છે. નકારાત્મક શક્તિઓને કારણે ધનહાનિ પણ થાય છે. આવી સ્થિતિમાં નકારાત્મકતાને દૂર કરવા માટે મહાઅષ્ટમીના દિવસે કપૂરથી દેવી મહાગૌરીની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ કપૂરની થાળીને આખા ઘરમાં ફેરવવી જોઈએ. આ ઉપાય અપનાવવાથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે.
આ ઉપાય ખોલશે પ્રગતિના દ્વાર
જો તમારું કામ વારંવાર અટકી જાય છે અને કરિયર અને બિઝનેસમાં ઈચ્છિત સફળતા ન મળી રહી હોય તો નવરાત્રિના આઠમા દિવસે સિંદૂરથી સંબંધિત ઉપાય અજમાવો. તમારે ફક્ત સિંદૂર સાથે સોપારી લેવાની છે અને તેને દેવી મહાગૌરીને અર્પણ કરવાની છે. પૂજા પૂરી થયા પછી સિંદૂર અને સોપારી લઈને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો. માન્યતાઓ અનુસાર આ કરવાથી દેવી માતા ઘરમાં પ્રવેશ કરે છે. આ ઉપાય પ્રગતિના દ્વાર ખોલનાર માનવામાં આવે છે. આ ઉપરાંત આ ઉપાય કરવાથી આર્થિક લાભ પણ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech