ઇતિથી અંત સુધી આ રીતે બદલાયો અયોધ્યાનો ઈતિહાસ

  • January 22, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે અયોધ્યાની ગલીએ ગલીમાં અલગ જ રોનક જોવા મળી રહી છે. અયોધ્યાના તમામ માર્ગો,અયોધ્યાનું રેલવે સ્ટેશન પ્રભુ શ્રી રામના રંગમાં રંગાઈ ગયુ છે. ઍરપોર્ટ પર પણ ભગવાનની આભા ઝલક્તી જોવા મળી રહી છે. અયોધ્યા નગરીમાં દરેક વ્યક્તિના ચહેરા પર અલગ જ રોનક અને આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોય પણ કેમ નહીં પ્રભુ શ્રી રામ સાડા પાંચસો વર્ષના અંતરાલ બાદ અયોધ્યામાં તેમના મંદિરમાં વિરાજમાન થયા છે. લગભગ સાડા પાંચસો વર્ષ પહેલા બાબરના સેનાપતિ મીર બાંકીએ પોતાની સાહી સેના સાથે આવીને રામ મંદિર તોડી નાખ્યું હતું.  આ યુદ્ધ છ દિવસ સુધી ચાલ્યું જેમાં તમામ 90 હજાર લોકો શહીદ થયા હતા. અને બાબરના સેનાપતિ મીર બાંકીએ લોહીની માટીથી મસ્જિદ બનાવી હતી ત્યારબાદ આટલા વર્ષો પછી અહી રામલલ્લાનું મંદિર બની રહ્યું છે


આ એજ અયોધ્યા છે જ્યાં એક સમયે પ્રભુ શ્રી રામનું નામ લેવુ પણ ગુનો ગણાઈ જતો હતો. કારસેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. ત્યારે દેશવાસીઓ 9 નવેમ્બર 2019ના એ ઐતિહાસિક દિવસને કેમ ભૂલી શકે જેમણે અયોધ્યાની ધરતીને ફરી આબાદ કરી દીધી. ત્યારબાદ 5 ઓગષ્ટ 2020નો એ દિવસ આવ્યો જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની પાબંદીઓ વચ્ચે રામ મંદિર નિર્માણનો પાયો નાખ્યો અને ભૂમિપૂજન કર્યુ. અને હવે 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે.


9 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટે આપ્યો આપ્યો ઐતિહાસિક ચુકાદો


9 નવેમ્બર 2019નો દિવસ આવ્યો જ્યારે દેશના લોકતંત્રએ એટલી શક્તિઓ જમા કરી લીધી હતી કે તે ઈતિહાસ લખવા માટે તૈયાર હતા. અયોધ્યાનો ફાઈનલ ચુકાદો આવ્યો. ત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ 2.77 એકર વિવાદીત જમીન પર હિંદુઓનો હક્ક છે. કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો. આ આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો.


પીએમઓના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં રામ નિર્માણ કમિટીની રચના


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી. મહંત નૃત્ય ગોપાલ દાસને આ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વિશ્વ હિંદુ પરિષદમાંથી ચંપત રાયને મહાસચિવ બનાવવામાં આવ્યા. ટ્રસ્ટમાં 15 સભ્યો છે. ટ્રસ્ટે રામ મંદિર નિર્માણ માટે પીએમ મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ કમિટીની રચના કરવામાં આવી. રામ મંદિર નિર્માણ કમિટીએ નક્કી કરાયેલી સમય મર્યાદામાં મંદિર નિર્માણની કામગીરી પૂરી કરાવવામાં મદદ કરી.

box

134 વર્ષ સુધી ચાલેલી મંદિર નિર્માણ માટેની લડાઈનો 9 નવેમ્બર 2019ના સુપ્રીમના ચુકાદા સાથે અંત

અયોધ્યા રામ મંદિર વિવાદ પર મીરાબાકીએ મસ્જિદ બનાવ્યા બાદ 330 વર્ષ બાદ 1858માં પરિસરમાં હવન, પૂજન કરવા અંગે એક એફઆઈઆર થઈ. તો 1885માં પહેલીવાર કેસ અદાલતમાં પહોંચ્યો. 134 વર્ષ વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈમાં 9 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે પુરી થઈ. એ દિવસે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિની સંપૂર્ણ જમીન જે વિવાદી જગ્યા ગણાતી તે રામલલા ટ્રસ્ટને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો અને સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા અન્ય જગ્યા પર પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ કરવામા આવ્યો.


રામ મંદિર વિવાદી જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયા બાદનો સમગ્ર ઘટનાક્રમ
​​​​​​​

  • 9 મે 2011એ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના રામમંદિર જન્મભૂમિને ત્રણ હિસ્સામાં વહોંચવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. 27 જાન્યુઆરી 2018માં તત્લાકિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યોની ખંડપીઠે તેમના નિર્ણયમાં જણાવ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામ ધર્મનુ અભિન્ન અંગ છે સાથે જ પીઠે આ કેસને પાંચ જજોની પીઠ પાસે નવેસરથી સુનાવણી માટે મોકલવાનો મનાઈ ફરમાવી દીધી હતી.
  • 29 ઓક્ટોબર 218 એ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરતા જણાવ્યુ હતુ કે આ કેસની સુનાવણી માટે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય ની રચના થશે. જે તેની સુનાવણીનો કાર્યક્રમ નક્કી કરશે. એ બાદ જાન્યુઆરી 2019માં અયોધ્યા કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય પીઠ નક્કી કરવામાં આવી. આ પીઠમાં ડી.વાય ચંદ્રચુડ, જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એનવી રમન્નાને સામેલ કરવામાં આવ્યા હતા.
  • 10 જાન્યુઆરી 2019એ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા સવાલ ઉઠાવતા જસ્ટિસ યુયુ લલિત જાતે આ કેસની સુનાવણીમાંથી હટી ગયા હતા. રાજીવ ધવને સવાલ ઉઠાવ્યો હતો કે 1994માં આ કેસમાં જસ્ટિસ યુયુ લલિતે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની કોર્ટમાં પેરવી કરી હતી.
  • 27 જાન્યુઆરી 2019એ જસ્ટિસ બોબડેએ છુટ્ટીઓ પર હોવાને કારણે 29 જાન્યુઆરી 2019એ પ્રસ્તાવિત સુનાવણી કરી . સુપ્રીમ કોર્ટે 26 ફેબ્રુઆરી 2019એ નવી તીથિ નિર્ધારિત કરી. 26 ફેબ્રુઆરી 2019એ સુપ્રીમ કોર્ટે કેસની મધ્યસ્થતા દ્વારા વિવાદ ઉકેલવાની સલાહ આપી. કોર્ટે કહ્યુ હતુ કે જો એક ટકા પણ શક્યતા હોય તો મધ્યસ્થતા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મધ્યસ્થતા દ્વારા વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર થયા.
  • 6 માર્ચ 2019એ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર મુસ્લિમ પક્ષ મધ્યસ્થતા માટે તૈયાર થયો. પરંતુ હિંદુ મહાસભા અને રામલલા પક્ષે એવુ કહીને અસહમતી વ્યક્ત દર્શાવી હતી કે જનતા મધ્યસ્થીના નિર્ણયને નહીં સ્વીકારે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા મુદ્દે ચુકાદો અનામત રાખ્યો.
  • 8 માર્ચ 2019 સુપ્રીમ કોર્ટે શ્રી શ્રી રવિશંકર, શ્રીરામ પંચુ અને જસ્ટિસ એફએમ ખલીફુલ્લાને અયોધ્યામાં મધ્યસ્થતા કરવાની મંજૂરી આપી.
  • 1 ઓગષ્ટ 2019 મધ્યસ્થતા પેનલ રિપોર્ટ પ્રસ્તુત કર્યો
  • 2 ઓગષ્ટ 2019 સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મધ્યસ્થતા દ્વારા અયોધ્યા કેસ નો ઉકેલ શક્ય નથી. સાથે જ કોર્ટે 6 ઓગષ્ટથી કોર્ટમાં દરરોજ સુનાવણીનો આદેશ આપ્યો.
  • 6 ઓગષ્ટ 2019 અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે દરરોજ સુનાવણી શરૂ કરી.
  • 15 ઓક્ટોબર 2019 સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસની સુનાવણી 16 ઓક્ટોબરક 2019 સુધી પુરી કરવાની સમય મર્યાદા નક્કી કરી
  • 9 નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા રામજન્મભૂમિની 2.77 એકર જમીન હિન્દુ પક્ષને આપવાનો નિર્ણય સંભળાવ્યો. સાથે જ તેનો માલિકાના હક્ક કેન્દ્ર સરકાર હસ્તક રહેશે. આ ઉપરાંત યુપી સરકારને આદેશ આપ્યો કે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન કોઈ અન્ય સ્થાને પર આપવામાં આવે.
  • 5 ઓગષ્ટ 2020 આ એ તારીખ છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામ નગરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનમાં ભાગ લીધો
  • 22 જાન્યુઆરી 2024 એ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application