આ મુગલ સમ્રાટ જ્યોતિષને પૂછ્યા વગર નહોતા કરતા કોઈ કામ

  • August 23, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક વ્યક્તિએ મુઘલ સલ્તનતના સૌથી ક્રૂર શાસક ઔરંગઝેબની વાર્તાઓ સાંભળી હશે. ભારતીય ઈતિહાસમાં ઔરંગઝેબના અત્યાચારોનું વર્ણન છે. ઔરંગઝેબે હજારો હિંદુઓને મારી નાખ્યા, આ બધું ભારતના ઈતિહાસમાં નોંધાયેલું છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઔરંગઝેબ જેટલો ક્રૂર અને નિર્દય હતો તેટલો જ તે ધાર્મિક અને અંધશ્રદ્ધાળુ પણ હતો.


ઔરંગઝેબ સાથે જોડાયેલી આ વાતો એક પુસ્તકમાં સામે આવી છે. ઈતિહાસકારોએ ઔરંગઝેબના વ્યક્તિત્વ, જીવનશૈલી, શોખ અને અત્યાચાર વિશે પુસ્તકોમાં લખ્યું છે. પુસ્તકમાં ઔરંગઝેબ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ અને આશ્ચર્યજનક વાતો નોંધવામાં આવી છે.


પુસ્તકમાં ઔરંગઝેબ વિશે અનેક દાવાઓ


પ્રખ્યાત લેખક જદુનાથ સરકાર ઉપરાંત જેમણે મુઘલ કાળ પર ઘણા પુસ્તકો લખ્યા છે એ અમેરિકન ઇતિહાસકાર ઓડ્રે ટ્રુશકેએ પણ ઔરંગઝેબ પર એક પુસ્તક લખ્યું છે. જેનું નામ છે - ઔરંગઝેબ ધ મેન એન્ડ ધ મિથ. જેમાં ઓડ્રીએ મુઘલ કાળના શાસકોમાં સહનશીલતાના અભાવની વાત કરી છે.


એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓડ્રે ટ્રુશકેએ ઔરંગઝેબ પર લખેલા પુસ્તકમાં તેના પહેલાના તમામ લેખકો અને ઈતિહાસકારો પર ખોટો આરોપ લગાવ્યો છે. તેમના મતે ઔરંગઝેબ વિશે જે કહેવામાં આવ્યું છે તે ખરેખર તેનાથી તદ્દન વિરુદ્ધ હતું.


ધાર્મિક અને અંધશ્રદ્ધાળુ ઔરંગઝેબ


ઓડ્રે ટ્રુશકેના મતે ઔરંગઝેબ ક્રૂરને બદલે સૂફી હતો. ઔરંગઝેબે જેટલા મંદિરો નષ્ટ કર્યા તેના કરતાં વધુ મંદિરોનું જતન કર્યું.


ઓડ્રીના પુસ્તકમાં કરાયેલા દાવા મુજબ ઔરંગઝેબ માત્ર ધાર્મિક વ્યક્તિ જ નહીં પરંતુ અંધશ્રદ્ધાળુ પણ હતો. ઓડ્રીએ ઔરંગઝેબને અંધશ્રદ્ધાળુ હોવાના તર્ક સાથે ઘણા દાવાઓ રજૂ કર્યા. તેમણે તેના પુસ્તકમાં જણાવ્યું કે ઔરંગઝેબના દરબારમાં મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મોના જ્યોતિષશાસ્ત્રના મહાન વિદ્વાનો હાજર હતા.


જ્યારે પણ ઔરંગઝેબ કોઈ મુસીબતમાં પડતો કે કોઈ ખાસ યુદ્ધ માટે જવાનો હતો ત્યારે તે બંને ધર્મના જ્યોતિષીઓને ચર્ચા માટે બોલાવતો અને તેમની સલાહ માનતો.


ટ્રુશકેએ પુસ્તકમાં ઔરંગઝેબ વિશે જણાવ્યું હતું કે એકવાર પૂરની દુર્ઘટના આવી ત્યારે ઔરંગઝેબે તેનો સામનો કરવા માટે કુરાનની આયતોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે પૂરનું જોખમ ઓછું થઈ ગયું હતું.


ઔરંગઝેબે આખું કુરાન કંઠસ્થ કર્યું હતું અને ઇસ્લામ ધર્મમાં પણ ચુસ્તપણે વિશ્વાસ રાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે ગ્રહો અને નક્ષત્રોની ગણતરીના પણ ચાહક હતા,  ભારતીય જ્યોતિષીઓની સચોટ આગાહીઓએ તેમને પ્રભાવિત કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application