સાઉથ સિનેમાના લોકપ્રિય નિર્દેશકોમાંના મણિકંદન સાથે વિચિત્ર ઘટના બની છે. તાજેતરમાં જ મદુરાઈફિલ્મ ’કદાઈસી વિવાસયી’ના ડિરેક્ટરના ઘરમાં ચોરી થઇ હતી. આ દરમિયાન તસ્કરોએ લાખોની રોકડ, સોનું અને રાષ્ટ્રીય પુરસ્કાર લઈને ફરાર થઈ ગયા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે ચોરોએ તમિલ ડાયરેક્ટર મણિકંદનનો નેશનલ એવોર્ડ મેડલ માફીની નોટ સાથે પરત કરી દીધો છે.
મીડિયા અહેવાલો અનુસાર, તસ્કરોએ તમિલ નિર્દેશક મણિકંદનના મદુરાઈ નિવાસસ્થાનમાંથી ચોરાયેલા નેશનલ એવોર્ડ મેડલ પરત કરી દીધા છે અને તેમને માફી પત્ર પણ મોકલ્યો છે. આ ચોરી થોડા દિવસો પહેલા તમિલનાડુના મદુરાઈમાં મણિકંદનના ઉસીલામપટ્ટીના નિવાસસ્થાને થઈ હતી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેઓએ અન્ય કીમતી વસ્તુઓ સાથે તેમનો રાષ્ટ્રીય પુરસ્કાર મેડલ પણ ચોરી લીધો છે, ત્યારે ચોરોએ તેને પરત કરવાનો નિર્ણય કર્યો હશે.
નોંધનીય છે કે મણિકંદન તેના પરિવારના સભ્યો સાથે ચેન્નાઈમાં રહે છે, જ્યારે તેનો પાલતુ કૂતરો તેના ઉસીલામપટ્ટીના ઘરમાં રહે છે, જ્યાં હાઉસ કેર દ્વારા તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. તાજેતરમાં, જ્યારે તેઓ પાળેલા કૂતરાને ખવડાવવા માટે ઘરે પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે ઘરના દરવાજાનો લોક તૂટી ગયો છે અને પછી જોયું કે ઘરમાંથી ઘણી કિંમતી વસ્તુઓની ચોરી થઈ ગઈ છે.
ત્યારબાદ, ઉસિલમપટ્ટી પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે 1 લાખ રૂપિયા રોકડા, 15 તોલા સોનાના દાગીના અને અન્ય વસ્તુઓ ગાયબ છે. જ્યારે પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે તેમને ઘરની દિવાલ પર લટકતી એક પોલીથીન બેગ મળી, જેની અંદર મણિકંદનનો રાષ્ટ્રીય પુરસ્કાર મેડલ અને માફીની નોંધ હતી. નોટમાં લખવામાં આવ્યું છે, સર, મહેરબાની કરીને અમને માફ કરો, અમે તમારી મહેનતનું વેતન પરત કરી રહ્યા છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech