વન નેશન-વન ઈલેકશન પર નારાજ વિપક્ષને મનાવશે PM મોદીના આ ત્રણ 'મેસેન્જર્સ'

  • September 19, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે વન નેશન-વન ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. વન નેશન-વન ઈલેક્શન પર વિરોધ પક્ષોએ નારાજગી વ્યક્ત કરી છે. હવે આને લઈને મોટી ચર્ચા સામે આવી રહી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે વિરોધ પક્ષો સાથે વાતચીત કરવા માટે ત્રણ મંત્રીઓને જવાબદારી આપી છે.


મોદી કેબિનેટમાં સામેલ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કિરેન રિજિજુને વિપક્ષી પાર્ટીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર વન નેશન-વન ઈલેક્શનના મુદ્દે તમામ વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે.


દર 15 વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તો ચૂંટણી પંચને નવા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરીદવા માટે દર 15 વર્ષે અંદાજે રૂ. 10,000 કરોડની જરૂર પડશે. ચૂંટણી પંચે સરકારને માહિતી આપી છે કે દરેક ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નું આયુષ્ય 15 વર્ષ છે. આમ 'એક દેશ એક ચૂંટણી'ના કિસ્સામાં એક ઈવીએમનો ઉપયોગ માત્ર ત્રણ ચૂંટણીઓ માટે થઈ શકે છે.


11.80 લાખ મતદાન મથકોની પડશે જરૂર

ચૂંટણી પંચનો અંદાજ છે કે લોકસભાની ચૂંટણી માટે લગભગ 11.80 લાખ મતદાન મથકો બનાવવાની જરૂર પડી શકે છે. ECI સૂત્રોએ જણાવ્યું હતું કે જો વિધાનસભાની ચૂંટણી પણ એકસાથે યોજવામાં આવે છે, તો તે કિસ્સામાં વધુ EVMની જરૂર પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે દરેક મતદાન મથક પર ઓછામાં ઓછા બે સેટ ઇવીએમની જરૂર પડશે. એક લોકસભા માટે અને બીજી વિધાનસભા માટે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application