ઘણીવાર ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે જો હવામાન બદલાઈ રહ્યું છે અને ત્વચાની શુષ્કતા વધી રહી છે તો વિચાર્યા વગર ત્વચા પર નાળિયેર તેલ લગાવો. આ એક કુદરતી તેલ છે. જે સૂકા નાળિયેરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકો મોઈશ્ચરાઈઝરને બદલે તેનો ઉપયોગ કરે છે. જો કે તેનો ઉપયોગ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય શકે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેનો ઉપયોગ ત્વચાને નુકસાન પણ પહોંચાડે છે.
નાળિયેર તેલ ઘણા લોકો માટે ફાયદાકારક હોય શકે છે પરંતુ કેટલાક લોકોએ તેને ત્વચા પર લગાવવાનું ટાળવું જોઈએ. જો નિષ્ણાતની સલાહ વિના ત્વચા પર નાળિયેર તેલનો ઉપયોગ કરો છો તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કયા લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
તૈલીય ત્વચાવાળા લોકોએ
જો ત્વચા ખૂબ જ તૈલી છે તો નાળિયેર તેલનો ઉપયોગ ટાળવો જોઈએ. નાળિયેર તેલ કોમેડોજેનિક છે. જેનો અર્થ છે કે આ તેલ ત્વચાના છિદ્રોને બંધ કરી શકે છે. આને કારણે ખીલ થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે.
ખીલથી પીડાતા લોકો
જો ત્વચા પર પહેલાથી જ ખીલ છે તો નાળિયેર તેલ લગાવવાથી સમસ્યા વધી શકે છે. કારણકે તે છિદ્રોને બંધ કરી શકે છે. આ લોકોએ નાળિયેર તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
એલર્જીથી પીડાતા લોકો
ઘણા લોકોને ત્વચાની એલર્જી ખૂબ જ ઝડપથી થાય છે. આ લોકોએ નાળિયેર તેલનો ઉપયોગ ટાળવો જોઈએ. પેચ ટેસ્ટ વિના તેનો ઉપયોગ કરવાથી ખંજવાળ, લાલાશ, બર્નિંગ અથવા સોજો આવી શકે છે. જો એલર્જીની શંકા હોય તો પેચ ટેસ્ટ કરવો જોઈએ.
આ બાબતો દર્શાવે છે કે નાળિયેર તેલનો ઉપયોગ તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય નથી. ખાસ કરીને તૈલી અથવા સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે. તેથી નાળિયેર તેલનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તે ત્વચા અને વાળની જરૂરિયાતો અનુસાર યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech