દર વર્ષે ગણપતિ મહોત્સવ પહેલા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ગણપતિ મહોત્સવના આયોજકોને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવે છે. જેમાં જાહેરનામામાં સૌથી મહત્વનું 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમ છતાં કેટલાક આયોજકોએ જાહેરનામું બહાર પડે તે પહેલા જ નવ ફૂટથી ઉંચી મૂર્તિ બનાવી લેતા અસંજસ જોવા મળી હતી.
થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા ગણપતિ મહોત્સવના જાહેરનામા અંગેની અમલવારીને લઈને ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જેમાં બાલભવન પાસે નવ ફૂટી મૂર્તિ બનાવનાર મૂર્તિકાર સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને તેને લઈને જ ગણપતિ મહોત્સવના આયોજકો પોલીસ કમિશનર કચેરી ખાતે એકત્ર થઈને આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે અંતે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે અને રાજકોટ શહેરના પાંચ આયોજકોને નવ ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની છૂટ આપવામાં આવી છે.
રાજકોટના આ પાંચ આયોજકો રાખશે 9 ફૂટથી ઊંચી મૂર્તિ
જે.કે.ચોક
શાસ્ત્રી મેદાન
એસ.કે.ચોક
સર્વેશ્વર ચોક
એરપોર્ટ રોડ
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, જાહેરનામાનો ભંગ કરવો એ ગુનો છે પરંતુ આ આયોજકોએ આ વર્ષે જાહેરનામું બહાર પડે તે પહેલા જ મૂર્તિ બનાવવાનું શરૂ કરી દેવામાં આવતા આ વખતે છૂટ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech