વિદેશ બાદ હવે દેશમાં કાર્યવાહી: એમડીએચ, એવરેસ્ટ સહિતની મસાલા સામે તપાસ થશે

  • June 15, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદેશ બાદ હવે દેશમાં પણ એમડીએચ અને એવરેસ્ટ સહિત અનેક કંપ્નીઓના મસાલા પર સવાલો ઉઠી રહ્યા છે. રાજસ્થાનના આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે આ મસાલાઓમાં સ્વીકાર્ય જથ્થા કરતાં વધુ જંતુનાશકો મળી આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ એમડીએચ અને એવરેસ્ટ સહિતની મસાલા ઉત્પાદક કંપ્નીઓ સામે તપાસ શરૂ કરી છે.

એમડીએચ અને એવરેસ્ટ એ જ કંપ્નીઓ છે જેમના મસાલા પર સિંગાપોર અને હોંગકોંગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજસ્થાનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કંપનીઓના મસાલામાં જંતુનાશકોની સ્વીકાર્ય માત્રા કરતાં વધુ જથ્થો મળી આવ્યો હતો.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એમડીએચ અને એવરેસ્ટ સહિતની મસાલા ઉત્પાદક કંપ્નીઓ સામે તપાસ શરૂ કરી છે. તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીના ભાગ રૂપે, આ કંપ્નીઓ સામે દંડ લાદવાથી લઈને બજારમાંથી મસાલાને દૂર કરવા સુધી કંઈપણ થઈ શકે છે.એક અહેવાલ મુજબ, રાજ્યએ પત્ર લખીને મસાલાની અનેક બ્રાન્ડ્સ સામે પગલાં લેવાની વિનંતી કરી હતી. આ મસાલામાં જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓનું પ્રમાણ વધુ હોવાથી તે ખાવા યોગ્ય નથી તેવું જણાવાયું હતું. જો કે, રાજસ્થાન દ્વારા કરાયેલા પરીક્ષણોમાં ઈટીઓ (ઇથિલિન ઓક્સાઇડ) મળી આવ્યું ન હતું, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ કેટલાક જંતુનાશકો અને દૂષણો વધુ પ્રમાણમાં મળી આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે એફએસએસએઆઈ રિપોર્ટનું વિશ્લેષણ કર્યા પછી નિયમો અનુસાર પગલાં લેશે. ગયા મહિને જ ખાદ્ય નિયમનકારે તમામ બ્રાન્ડના મસાલા પર દેશવ્યાપી કાર્યવાહી કર્યા બાદ આ બે મોટી બ્રાન્ડ્સને ’ક્લીન ચિટ’ આપી હતી. સિંગાપોર અને હોંગકોંગે બે સૌથી વધુ વેચાતી ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના કેટલાક મસાલાનું વેચાણ બંધ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આમાં વધુ માત્રામાં ઇટીઓ મળી આવ્યા હતા. ઈટીઓએ એક જંતુનાશક છે જે માનવ વપરાશ માટે યોગ્ય નથી. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી કેન્સરનો ખતરો રહે છે.


34 નમૂનામાંથી 28માં ઇથિલિન ઓક્સાઇડની ગેરહાજરી

એફએસએસએઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે 34 અહેવાલોમાંથી, 28માં ઈટીઓનો કોઈ પત્તો મળ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે એફએસએસએઆઈની વૈજ્ઞાનિક પેનલે લેબ રિપોટ્ર્સની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે તેમાં ઈટીઓનો કોઈ પત્તો નથી. એફએસએસએઆઈ એ ગયા મહિને મહારાષ્ટ્ર અને ગુજરાતની બે એવરેસ્ટ ફેક્ટરીઓમાંથી નવ નમૂનાઓ અને સિંગાપોર અને હોંગકોંગે આ મસાલાઓનું વેચાણ બંધ કર્યા પછી એમડીએચના 11 ઉત્પાદન એકમોમાંથી 25 નમૂના એકત્ર કયર્િ હતા.એફએસએસએઆઈ એ અગાઉ કહ્યું હતું કે આ મસાલાને વપરાશ માટે સલામત જાહેર કરતા પહેલા દરેક નમૂનાનું ગુણવત્તા ધોરણો અનુસાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application