છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ ની જગ્યા પર ઓછામાં ઓછા બે વર્ષ જેટલા સમયથી ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવે છે. પરંતુ હવે રેગ્યુલર કુલપતિ નીમવા માટેની પ્રક્રિયા ચાલુ છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ બનવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ માગવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ૬૭ અરજીઓ યુનિવર્સિટીના તંત્રને મળી હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની પસંદગી માટે સરકારે સર્ચ કમિટીની રચના કરી છે. આ કમિટી સમક્ષ અરજી કરવા માટેની અંતિમ મુદત ૨૨ જાન્યુઆરી હતી અને અત્યાર સુધીમાં ૬૭ અરજીઓ મળી છે.
અગાઉ તો રાજકીય દ્રષ્ટ્રિકોણ ધ્યાનમાં રાખીને કુલપતિની પસંદગી કરવામાં આવતી હતી અને તેમના નામની જાહેરાત થતી હતી. પરંતુ હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને કુલપતિ કોણ બની શકે? તેના અનેક માપદડં અને ગાઈડલાઈન જાહેર કર્યા છે. આ માપદડં અને ગાઈડ લાઈન ની મર્યાદામાં આવતા શૈક્ષણિક લાયકાત અને અનુભવ સહિતની કવોલિફિકેશન ધરાવતા ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને જે ૬૭ અરજી અત્યાર સુધી મળી છે તેમાંથી જ કોઈ એકની પસંદગી થાય તેવું જરી નથી. કારણ કે આમાં પણ રાજકીય પક્ષો દ્રારા ઉમેદવારોની પસંદગી વખતે લેવામાં આવતી સેન્સ પ્રક્રિયા જેવું છે. કોઈ વ્યકિતની તરફેણમાં કોઈએ સેન્સ ન આપી હોય તો પણ ટિકિટ મળી જાય કે હોદો મળી જાય તેમ સર્ચ કમિટી તેને યોગ્ય લાગે તો અન્ય લાયકાત ધરાવતી વ્યકિત પાસેથી તેની અરજી અને બાયોડેટા મંગાવીને નિમણૂક કરી શકે છે. યુનિવર્સિટી સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જે ૬૭ અરજીઓ મળી છે તેમાંથી ઘણા બધા એવા ઉમેદવારો છે.
કે જે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનો અને સંલ કોલેજોમાં પ્રોફેસર –પ્રિન્સિપાલ જેવા હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા છે. અમે આવેલી તમામ અરજીઓમાં શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે બાબતો ચકાસીને જે અરજીઓ આ માપદંડમાં ફીટ થતી હશે તે કમિટીને મોકલીશું.
અરજીઓ મળ્યા બાદ કમિટી ની મીટીંગો મળતી હોય છે અને તેમાં ત્રણ નામની પેનલ પસદં કરીને અંતિમ મંજૂરી માટે હોદાની એ કુલાધિપતિ એવા રાયપાલને મોકલવામાં આવે છે અને તેમના દ્રારા કોઈ એક નામની જાહેરાત થતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech