બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી બગસરા થી વડીયા તરફ જતી એસટી બસ સવારે સાત કલાકે વાયા ડેરી પીપરીયા બાલાપુર નાજાપુર સહિતના ગામડાઓમાંથી પસાર થઈ અને પેસેન્જરને સંતોષકારક આ એસટી બસ સમયસર રૂટ ચાલતો હોય ત્યારે અચાનક બગસરા એસટી ડેપોના મેનેજર ને શું થયું કે તે બસ બંધ કરી અને બગસરા અમરેલી માં તે બસ મૂકવામાં આવી જોકે સવારે ૬:૩૦ કલાકે તે બસ રૂટમાં ચાલે છે પરંતુ તે રૂટમાં માત્ર ડ્રાઇવર કંડકટર જાય છે અને પાછા ચાલ્યા આવે છે કારણ કે તે સમયમાં ૬:૩૦ થી સ્ટાર્ટ થાય કે ૮:૩૦ સુધીમાં સાત બસ બગસરા થી અમરેલી તરફ જાય છે છતાં ડેપો મેનેજર દ્વારા બગસરા વડીયા જે વર્ષોથી આ રૂટ છે તેને શું થયું કે અચાનક બંધ કરી દેવામાં આવી અને હાલ પેસેન્જર હેરાન થાય છે અને તે રૂટમાં તે પેસેન્જર રાહ જોઈને ઊભા રહે છે આવું જ રહ્યું તો પેસેન્જર દ્વારા આ બસને તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો પેસેન્જરો દ્વારા પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે અમે લોકો ગાંધીજીને માર્ગે જવું પડશે કારણકે એસટી વિભાગના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓને અનેકવાર આ બાબતે વાતચીત કરવામાં આવી છતાં તેને પેટમાં પાણી પણ હલતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech